માલદીવમાં ઊભા થયેલા રાજકીય મુશ્કેલીઓને લઈને વિશ્વભરમાં tourist ઇન્ડસ્ટ્રીને મોટાપાયે નુકશાની પહોંચ્યું છે સાથે જ ભારતના લોકો માટે ફરવાની જગ્યાઓમાં સામેલ માલદીવ જનારા લોકોની મોટી સંખ્યાને નિરાશા હાથ લાગી છે સત્તા પરિવર્તન અને રાજકીય ફેરબદલના કારણે અસંખ્ય ભારતીય લોકો માલદીવ જવાનું ટાળી રહ્યા છે.
વિશ્વભરમાં ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે પ્રખ્યાત માલદીપ મહત્તમ આવક બીજા દેશના સહેલાણીઓથી આવે છે જ્યારે ટુરિઝમની સીઝન શરૂ થતાં જ રાજકીય પરિવર્તનના ભાગે તમામ tourist ઇન્ડસ્ટ્રી નુકસાનમાં જાય તેવી ભીતિ સેવાઇ રહી છે.
માત્ર ભારતમાંથી જ હજારોની સંખ્યામાં લોકો લગ્ન પછી માલદીવને પ્રાથમિકતા આપે છે ત્યારે આ વખત ઊભી થયેલી વિપરિત પરિસ્થિતિઓને ધ્યાને લઇ મહત્તમ લોકો બીજા દેશો જવા માટે મજબૂર બન્યા છે.