ચાલુ વર્ષે મુશળધાર પડેલા વરસાદે ખેડૂતમામને રાત પાણીએ રડાવ્યા છે, તો સાથે સાથે રોગચાળો પણ વિપુલ માત્રામાં ફેલાયો છે. જેને લઈને હજુ પણ ગુજરાતના અનેક જીલ્લા રોગચાળાના ભરડામાં છે.
માનવીબની સાથે સાથે પશુમાં પણ વિવિધ રોગોનું પ્રમાણ વધ્યું છે. જેને લઈને પશુપાલકો અને માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હુજ્રતમાં વિવિધ પશુઓમાં પણ અતિશય વરસાદને કારણે પશુઓમાં ભયંકર રોગચાળો ફેલાયો છે. જે અંગે મંતવ્ય ન્યુઝ દ્વારા ન્યુઝ ચેનલ પર રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે.
મંતવ્ય ન્યૂઝ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માલધારીઓની વારે આવ્યુ હતુ. માલધારીના પશુઓમાં ભયંકર રોગચાળો ફેલાયો છે. ત્યારે માલધારોની રજૂઆત મંતવ્ય ન્યૂઝ પર પ્રસારીત કરવામાં આવી હતી. મુંગા પશુ વધુ વરસાદના કારણે રોગમાં સપડાઇ રહ્યા હતા. જેને લઈને પશુપાલન વિભાગની ટીમે રસીકરણ કરવાનુ શરુ કર્યુ હતુ. ભયંકર રોગના કારણે અસંખ્ય ઘેટા બકરા મોતને ભેટ્યા છે. રોગચાળાને લઈને મોટી સંખ્યામાં પશુઓ મરી રહ્યા હતા. ત્યારે માલધારી સમાજે મંતવ્ય ન્યૂઝનો આભાર માન્યો હતો.
મુંગાપશુ વધુ વરસાદના કારણે રોગમા સપડાઇ રહ્યા હતા. પશુપાલન વિભાગની ટીમે રસીકરણ કરવાનુ શરુ કર્યું છે. રાણેકપર ગામના માલધારીઓની રજૂઆત મંતવ્ય ન્યૂઝ પર પ્રસારીત કરવામા આવી હતી. ભયંકર રોગના કારણે અસંખ્ય ઘેટા બકરા મોતને ભેટ્યા હતા. હળવદના તમામ ગામોમા રસીકરણ કરવામા આવશે. રાણેકપર ગામેથી રસી મુકવાનું શરૂ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.