દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગિરગાંવ ચોપાટી સ્થિત ચાર માળની ઈમારતમાં શનિવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે ફાયર કર્મીઓએ ત્રણ લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, એક અધિકારીએ જણાવ્યું કે, રંગનેકર રોડ પર સ્થિત ગોમતી ભવનના બીજા અને ત્રીજા માળે રાત્રે લગભગ 9.30 વાગ્યે આગ લાગી હતી. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા આઠ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.
BMCએ એક નિવેદનમાં કહ્યું છે કે મુંબઈના ગિરગામ ચોપાટી વિસ્તારમાં ગોમતી ભવન બિલ્ડિંગમાં લેવલ-2માં આગ લાગી છે. હાલ આગ ઓલવવાનું કામ ચાલુ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે રંગનેકર રોડ પર સ્થિત ગોમતી ભવનના બીજા અને ત્રીજા માળે રાત્રે લગભગ 9.30 વાગ્યે આગની માહિતી મળી હતી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: