કોરોનાવાયરસની બીજી લહેરનાં કારણે નિષ્ણાતોએ ત્રીજા લહેર માટે દેશનાં લોકોને ચેતવણી આપી છે. નિષ્ણાંતો, ડોકટરો, વૈજ્ઞાનિકો અને વાઇરોલોજિસ્ટ કહે છે કે ઓક્ટોબર મહિના સુધીમાં ત્રીજી લહેર દેશમાં આવી શકે છે. તેઓ કહે છે કે લોકોને હવે એક વર્ષ માટે સાવચેત રહેવાની જરૂર છે.
સર્વદળીય બેઠક / દિલ્હીમાં કાશ્મીરી નેતાઓ સાથે 24મીએ PMની સંભવિત સર્વદળીય બેઠક : સૂત્ર
તબીબી નિષ્ણાતોનાં રોયટર્સ પોલ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઓક્ટોબર સુધીમાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના છે. વિશ્વભરનાં 40 આરોગ્ય નિષ્ણાતો, ડોકટરો, વૈજ્ઞાનિકો, વાઈરોલોજિસ્ટ્સ, રોગચાળાનાં નિષ્ણાંત અને પ્રોફેસરો દ્વારા કરાયેલા સર્વેમાં આ માહિતી આપવામાં આવી છે. આ બધા લોકો તરફથી આ પ્રતિક્રિયા 3 થી 17 જૂન દરમ્યાન લેવામાં આવી હતી.
શ્રદ્વાંજલી / ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહનું નિધન,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યકત કર્યુ
સર્વેમાં શું આવ્યુ બહાર
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 85 ટકાથી વધુ એટલે કે 24 માંથી 21 લોકોએ કહ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબર સુધીમાં આવશે. વળી આમાથી ત્રણ લોકોએ ઓગસ્ટની શરૂઆતમાં અને 12 લોકોએ સપ્ટેમ્બર મહિનામાં ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરી છે. આ સિવાય ત્રણ લોકોએ આ લહેર નવેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે આવશે તેવુ જણાવ્યું છે. વળી આ સંશોધનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, 70 ટકાથી વધુ નિષ્ણાતો એટલે કે 34 માંથી 24 લોકોએ કહ્યું છે કે ત્રીજા લહેર બીજી લહેર કરતા વધુ સારી રીતે નિયંત્રિત થશે. આ સિવાય 40 માંથી 26 નિષ્ણાંતોએ કહ્યું કે, બાળકો અને 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને સૌથી વધુ જોખમ રહેશે, જ્યારે બાકીનાં 14 નિષ્ણાતો કહે છે કે આ લહેરમાં આવું નહીં થાય.
બસ અકસ્માત / અમદાવાદ-ચોટીલા હાઈવે પર મોડી રાત્રે રોડ ૨૦ મુસાફરો સાથે મીની બસે પલટી મારી : ગોઝારો અકસ્માત સર્જાયો
ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) નાં ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, “ત્રીજી લહેર પર નિયંત્રણ રાખી શકાશે, કારણ કે આવા કેસ ખૂબ ઓછા હશે, કારણ કે રસીકરણ ઝડપથી શરૂ કરવામાં આવી રહ્યું છે અને બીજી લહેરમાંથી નિકળ્યા બાદ લોકોમાં નેચરલ ઈમ્યુનિટી પણ હશે. આપને જણાવી દઈએ કે, દેશમાં અત્યાર સુધીમાં 26 કરોડથી વધુ રસી આપવામાં આવી છે. મોટાભાગનાં આરોગ્ય નિષ્ણાંતોએ આગાહી કરી હતી કે આ વર્ષે રસીકરણ અભિયાન નોંધપાત્ર રીતે વધશે, પરંતુ તેમણે આ પ્રતિબંધોને દૂર કરવાનો નિર્ણય લીધો છે વિવિધ રાજ્યોમાં વહેલી તકે અમલમાં મૂકાયો.