હવામાન વિભાગે ચેતવણી આપી છે તે 24 કલાકમાં યાસ ચક્રવાત પરિવર્તિત થશે વાવઝોડામાં .બુધવારના દિવસે યાસ વાવઝોડું બંગાલ અને ઓરિસ્સાના તટીય વિસ્તારમાં પહોચશે. આ વાવાઝોડાને ધ્યાનમાં લઇને પ્રશાસન દ્વારા અગમચેતી પગંલાં ભરવામાં આવ્યા છે .ભારે તારાજી થી વચાવ માટે લોકોને સુરક્ષિત વિસ્તારમાં સ્થળાતંર કરવામાં આવી રહ્યા છે,ગૃહમંત્રીએ વાવઝોડા યાસથી જે રાજ્યો પ્રભાવિત થઇ શકે છે તેમને આશ્વાસન આપ્યો છે કે સરકાર તરફથી 24 કલાક મદદ મળી રહેશે. ભારતીય હવામાન વિભાગે જાણકારી આપી છે કે 26 મે ના રોજ બપોરે ઓરિસ્સા અને બંગાલના તટીય વિસ્તારાેમાં પહોચશે. અને ભારે વરસાદ પડશે.
યાસ ના લીધે બંગાલમાં ભારે વરસાદ પડી શકે છે .એરપોર્ટ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, 26 મેના રોજ કોલકાતા એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી સવારના 8.30 થી સાંજના 7.45 સુધી સ્થગિત રહેશે.આ ઉપરાંત અનેક લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. બંગાલ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 9 લાખ લોકોને સુરક્ષિત સ્થળ પર પહોચાડવામાં આવ્યા છે. વાવાઝોડા યાસને કારણે નૈહાટી અને હલીશહરના 40 મકાનોને નુકસાન થયું છે. હજી બારે નુકશાન થઇ શકે છે.