Rajkot-Rape/ રાજકોટમાં સગીરાનો હત્યારો ઝડપાયોઃ રીક્ષા ચાલકની ધરપકડ

રાજકોટ પોલીસે સગીરાની હત્યાનો ભેદ ઉકેલી નાખતા આરોપી રીક્ષાચાલક જયદીપ પરમારની ધરપકડ કરી છે. પોલીસે ગણતરીના દિવસોમાં તેની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

Top Stories Gujarat
Rajkot Rape રાજકોટમાં સગીરાનો હત્યારો ઝડપાયોઃ રીક્ષા ચાલકની ધરપકડ

રાજકોટ પોલીસે સગીરાની હત્યાનો ભેદ ઉકેલી નાખતા આરોપી રીક્ષાચાલક જયદીપ પરમારની ધરપકડ કરી છે. પોલીસે ગણતરીના દિવસોમાં તેની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. રાજકોટ યુવરાજનગર મફતીયાપરા શેરી નં-3માં રહેતી 13 વર્ષની સગીરા રાધિકા લખનભાઈ પરમાર ની તેના ઘર પાસેના એક બંધ કારખાનામાંથી મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. આ હત્યાનો ભેદ અંતે પોલીસે ઉકેલી નાખી રીક્ષા ચાલક જયદીપ પરમારની ધરપકડ કરી છે. જયદીપે સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ આ બાબતની જાણ પરિવારને કરી દેશે તેવી ધમકી સગીરાએ આપી હતી, જેથી જયદીપે સગીરાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે માહિતી આપતા જણાવ્યું હતું કે સગીરાની હત્યાની ઘટનાથી સારાણીયા સમાજમાં ભારે રોષ હતો.પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાતે બનાવ સ્થળની વિઝીટ કરી હતી. આ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. જેમાં સાયબર ક્રાઇમ એસપી વિશાલ રબારી, ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વાય બી જાડેજા અને આજીડેમ પીઆઇ એલ.એલ ચાવડા તેમજ ભક્તિનગર અને એસોજીના પીઆઇની અલગ અલગ ટીમો બનાવી હતી.

જુદી જુદી ટીમ દ્વારા આ સગીરાની હત્યાની કડીઓ મેળવવા તેમજ હત્યા કોણે અને શા માટે કરે તે બાબતની માહિતી મેળવવા તપાસ શરૂ કરી હતી. પોલીસ સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સોર્સીસની મદદથી આ ઘટનામાં કડીઓ મેળવવા તપાસ શરુ કરી હતી. ત્યારે આ બનાવમાં પોલીસને મહત્વની સફળતા મળી હતી. સગીરાની શકમંદ રિક્ષા ચાલક જયદીપ પરમારને સકંજામાં લીધો હતો.

પોલીસે પૂછપરછ કરતા અંતે જયદીપે રાધિકાની હત્યાની કબુલાત કરી હતી. સગીરા જ્યારે બંધ કારખાનામાં ગઈ ત્યારે જયદીપ ત્યાં હાજર હતો અને દારૂ પીધેલી હાલતમાં હોય તેણે સગીરા સાથે બળજબરીથી દુષ્કર્મમાં ગુજાર્યો હતો. આ બાબતની જાણ સગીરા દ્વારા તેના પરિવારજનોને કરી દેવામાં આવશે. તેવી ધમકી આપતા જયદીપે નજીકમાં પડેલા સળિયાથી સગીરા ઉપર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં તે ત્યાંથી તેના મિત્રોને મળવા ચાલ્યો ગયો હતો અને બાદમાં સગીરાના પરિવાર સાથે તેને શોધવામાં અને પોલીસ સ્ટેશનને પણ પહોંચ્યો હતો. સાંજે જયદીપ અચાનક ગુમ થતાં તેને હત્યા કરી હોવાની શંકા વધુ દ્રઢ બની હતી. પોલીસે અંતે તેને ઝડપી લીધો હતો.રાધિકાની હત્યા કરનાર જયદીપ તેના કાકા સાથે આગાઉ અનેક ગુનામાં સંડોવાયેલો હતો.

 

આ પણ વાંચોઃ Jamnagar-CM/ જામનગરમાં ભારે વરસાદ બાદ તંત્રથી લોકો ત્રાહિમામઃ સીએમ પોતે દોડી આવ્યા

આ પણ વાંચોઃ UP-Conductor/ દિલ્હી મેટ્રો પછી હવે ઉત્તરપ્રદેશમાં પબ્લિક બસમાં કંડકટર વાંધાજનક સ્થિતિમાં ઝડપાયો

આ પણ વાંચોઃ NCP-Ajit Pawar/ સીએમ ન સહી તો ડેપ્યુટી સીએમ હી સહીઃ અજિત પવારનો નવો દાવ

આ પણ વાંચોઃ NCP-Ajit Pawar/ મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપઃ પવારની એનસીપી તૂટી, અજીત પવાર જોડાશે શિંદે સરકારમાં

આ પણ વાંચોઃ Letter Bomb/ છોટાઉદેપુરના કલેક્ટર સ્તુતિ ચારણ પર પડ્યો ભાજપના સાંસદનો લેટરબોમ્બ