વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રી મંડળનું આજે વિસ્તરણ થવા જઈ રહ્યું છે. 43 નવા પ્રધાનો આજે બુધવારે સાંજે 6 વાગ્યે શપથ લેશે. મોદી સરકારના બીજા કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થયા બાદ પહેલીવાર કેબિનેટનું વિતરણ થવા જઈ રહ્યું છે. આજે મંત્રી પદના શપથ લેનારા 43 નેતાઓનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે.
આવો જોઈએ કયા 43 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે
1. નારાયણ રાણે
2. સર્વાનંદ સોનોવાલ
3. વિરેન્દ્ર કુમાર
4. જ્યોતિરાદિત્ય સિંધિયા
5. રામચંદ્ર સિંગ
6. અશ્વિન વૈશ્નવ
7. પશુપતિ કુમાર પ્રસાદ
8. કિરણ રિજિજુ
9. હરદીપ સિંહ પુરી
10. રાજકુમાર સિંગ
11. મનસુખ માંડવિયા
12. ભૂપેન્દ્ર યાદવ
13. પરસોતમ રૂપાલા
14. કિશન રેડ્ડી
15. અનુરાગ ઠાકુર
16. પંકજ ચૌધરી
17. અનુપ્રિયા પટેલ
18. ડૉ. સત્યપાલ બઘેલ
19. રાજીવ ચંદ્રશેખર
20. સુશ્રી શોભા
21. ભાનુ પ્રતાપ સિંગ વર્મા
22. દર્શના વિક્રમ જરદોશ
23. મીનાક્ષી લેખી
24. અનુપમા દેવી
25. એ. નારાયણ સ્વામી
26. કૌશલ કિશોર
27. અજય ભટ્ટ
28. બી. એલ. વર્મા
29. અજય કુમાર
30. દેવુસિંહ ચૌહાણ
31. ભગવંત ખુબા
32. કપિલ મોરેશ્વર પાટીલ
33. પ્રતિમા ભૌમિક
34. ડૉ. સુભાષ સરકાર
35. ડૉ. ભાગવત કિશનરાવ કરાડ
36. ડૉ. રાજકુમાર રંજન સિંહ
37. ડૉ. ભારતી પ્રવીણ પવાર
38. બિશેશ્વર તુડુ
39. શાંતનુ ઠાકુર
40. ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા
41. જ્હોન બરાલા
42. ડૉ. એલ. મૃગન
43. નીતીશ પ્રામાણિક
11 મંત્રીઓએ આપ્યા રાજીનામાં
કેબિનેટ વિસ્તરણ પૂર્વે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંક, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન સહિતના એક ડઝન પ્રધાનોએ રાજીનામું આપી દીધું છે. નિશાંક અને હર્ષ વર્ધન ઉપરાંત આરોગ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌધરી, મહિલા અને બાળ વિકાસ મંત્રી દેબોશ્રી ચૌધરી, ખાતર અને રસાયણ પ્રધાન સદાનંદ ગૌડા, શ્રમ રાજ્યમંત્રી સંતોષ ગંગવાર, શિક્ષણ રાજ્યમંત્રી સંજય ધોત્ર, બાબુલ સુપ્રિયો, પ્રતાપ સારંગી શ્રમ રાજ્ય મંત્રી રાજીનામું આપી દીધું છે.રતનલાલ કટારિયાનું રાજીનામું પણ લેવામાં આવ્યું છે. કેન્દ્રીય સામાજિક ન્યાય પ્રધાન થાવરચંદ ગેહલોતે મંગળવારે જ રાજીનામું આપ્યું હતું. તેમને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.