કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, તે દેશના ગરીબ વર્ગને મફત રાશનનું વિતરણ કરી રહી છે. હવે આ યોજના હેઠળ મફત રાશનનો સમયગાળો વધુ 5 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. આજે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પોતાની પ્રેસ કોન્ફરન્સ માં આ જાણકારી આપી છે. સંપૂર્ણ સમાચાર વાંચો..
કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને મફત અનાજના વિતરણ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ચલાવવામાં આવી રહી છે . આ યોજના ગરીબોની મદદ માટે કોરોના મહામારીના સમયે શરૂ કરવામાં આવી હતી.
આ યોજનાના લાભાર્થીને કેન્દ્ર સરકાર દ્વારા 5 કિલો રસીન મફતમાં આપવામાં આવે છે. આ રાશન વ્યક્તિ દીઠ આપવામાં આવે છે. તાજેતરના અહેવાલ મુજબ, આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા 80 કરોડથી વધુ છે. આમાંના મોટાભાગના લાભાર્થીઓ ઉત્તર પ્રદેશના છે.
આજે એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકાર હવે આ યોજના હેઠળ વધુ 5 વર્ષ માટે મફત રાશનનું વિતરણ કરશે. મતલબ કે હવે તેની સમયમર્યાદા 1 જાન્યુઆરી, 2024 થી વધારીને પાંચ વર્ષ કરવામાં આવી છે. ઠાકુરે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ યોજના પર આશરે રૂ. 11.8 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. PMGKAY ડિસેમ્બર 2022 માં સમાપ્ત થયું , પરંતુ તેને ફરીથી એક વર્ષ માટે NFSA હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યું.
યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
આ યોજનાનો લાભ એવા લોકોને મળી શકે છે જેમની પાસે રેશન કાર્ડ છે. કોઈપણ રેશનકાર્ડ ધારક રાશનની દુકાનમાં જઈને રાશન મેળવી શકે છે. કાર્ડ પર કુટુંબના સભ્ય દીઠ 5 કિલો અનાજ આપવામાં આવે છે.
આ પણ વાંચો:TCS Share Price/TCS શેરધારકો માટે સારા સમાચાર, આ તારીખે 4150 રૂપિયામાં થશે બાયબેક
આ પણ વાંચો:Gold Rate/સોનાના ભાવ ઓલટાઈમ હાઈ સપાટી પર, લગ્નસરાની સિઝનની અસર
આ પણ વાંચો:PM Svanidhi Yojana/તમારો બિઝનેસ શરુ કરવા સરકાર આપી રહી છે લોન, જાણો બેનિફિટ અને યોગ્યતા
આ પણ વાંચો:LIC Share Price/IDBI બેંકમાં હિસ્સો વેચવા પર LIC ચેરમેનનું નિવેદન, જાણો શું છે પ્લાનિંગ?
આ પણ વાંચો:ADANI GROUP/ઉત્તરાખંડ ટનલના નિર્માણ સાથે અમારો કોઈ સંબંધ નથી, સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છેઃ અદાણી ગ્રુપ