પીએમ સ્વાનિધિ યોજના : કેન્દ્ર સરકાર સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓ દ્વારા લોકો સરળતાથી પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે. આ યોજનામાં સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે શેરી વિક્રેતાઓ માટે PM સ્વાનિધિ યોજના શરૂ કરી છે . જેથી લોકો પોતાનો બિઝનેસ શરુ કરી શકે.
પીએમ સ્વાનિધિ યોજના
પીએમ સ્વાનિધિ યોજનામાં ક્રેડિટ સુવિધા ઉપલબ્ધ છે મતલબ કે તેઓ સામાન ગિરવે મૂકીને સરળતાથી લોન મેળવી શકે છે. આ યોજના કોવિડ-19 મહામારીના સમયે એટલે કે જૂન 2020માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં, વ્યક્તિને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે લોનનો લાભ મળે છે. સરકાર કાર્યકારી મૂડીને પહોંચી વળવા માટે રૂ. 10,000 થી રૂ. 50,000 સુધીની લોન આપે છે.
આ સ્કીમમાં તમે પહેલીવાર 10,000 રૂપિયાની લોન લઈ શકો છો. આ લોન ચૂકવવા માટે તેમની પાસે 12 મહિનાનો સમય છે. જેમ તમે પહેલી લોન ચૂકવો કે તરત જ તમે બીજી વખત 20,000 રૂપિયા અને ત્રીજી વખત 50,000 રૂપિયા લઈ શકો છો.
PM સ્વાનિધિ યોજનામાં લાભો ઉપલબ્ધ છે
આ યોજનામાં આપવામાં આવેલી લોન. જો લોન સમય પહેલા ચૂકવવામાં આવે તો 7 ટકા સબસિડી મળે છે. આ સાથે સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કેશબેકની સુવિધા પણ આપી છે. જો લોન વેન્ડર પીએમ સ્વાનિધિ યોજના હેઠળ ડિજિટલ પેમેન્ટ કરે છે, તો તેને 25 રૂપિયાથી વધુના કેશબેકનો લાભ મળે છે. આવી સ્થિતિમાં, લોન વેન્ડરને મહિનામાં 100 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે.
પીએમ સ્વાનિધિની સત્તાવાર વેબસાઇટ અનુસાર, અત્યાર સુધીમાં આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધીને 70 લાખથી વધુ થઈ ગઈ છે.
આ પણ વાંચો:Stock Market/આજે શેર બજાર અદાણી ગ્રુપ અને એનર્જી સેક્ટરના શેરોમાં તેજીના ઉછાળા સાથે Close થયું
આ પણ વાંચો:LIC Share Price/IDBI બેંકમાં હિસ્સો વેચવા પર LIC ચેરમેનનું નિવેદન, જાણો શું છે પ્લાનિંગ?
આ પણ વાંચો:opportunity/ડીઝલ માટે ભારત પર વધુને વધુ નિર્ભર બનતું યુરોપ
આ પણ વાંચો:Stock Market/શેરબજારમાં આજે તેજી સાથે થઈ શરૂઆત, સેન્સેક્સ 66000ની ઉપર અને નિફ્ટી 19850એ પંહોચ્યો
આ પણ વાંચો:ADANI GROUP/ઉત્તરાખંડ ટનલના નિર્માણ સાથે અમારો કોઈ સંબંધ નથી, સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છેઃ અદાણી ગ્રુપ