Not Set/ NDAની બેઠકમાં સંસદીય દળનાં નેતા તરીકે મોદીની પસંદગી, બેઠકમાં હાજર નેતાઓનું PMએ કર્યુ અભિવાદન

લોકસભા ચૂંટણીમાં પ્રચંડ મોદી લહેરથી કોંગ્રેસ માત્ર 52 બેઠકો પર સમેટાઇ ગઇ. જ્યા કોંગ્રેસ મહામંથન કરી રહ્યુ છે ત્યારે દિલ્હી સ્થિત પાર્ટી ઓફિસમાં ચાલી રહેલી કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે બીજી તરફ નરેન્દ્ર મોદીને સંસદ સેંટ્રલ હોલની એનડીએની બેઠકમાં સંસદીય દળનાં નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. એનડીએ સાંસદોની બેઠક સંસદનાં […]

Top Stories India

લોકસભા ચૂંટણીમાં પ્રચંડ મોદી લહેરથી કોંગ્રેસ માત્ર 52 બેઠકો પર સમેટાઇ ગઇ. જ્યા કોંગ્રેસ મહામંથન કરી રહ્યુ છે ત્યારે દિલ્હી સ્થિત પાર્ટી ઓફિસમાં ચાલી રહેલી કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે બીજી તરફ નરેન્દ્ર મોદીને સંસદ સેંટ્રલ હોલની એનડીએની બેઠકમાં સંસદીય દળનાં નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે.

એનડીએ સાંસદોની બેઠક સંસદનાં સેન્ટ્રલ હોલમાં થઈ. જ્યા નવા ચૂંટાયેલા સાંસદો સંસદ ભવન પહોંચ્યા હતા. સાંસદો સિવાય ભાજપનાં સીનિયર નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલીમનોહર જોશી અને અકાળી દળનાં નેતા પ્રકાશ સિંહ બાદલ પણ હાજર રહ્યા હતા. અહીં નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે સંસદીય દળનાં નેતા બનાવવા માટે અમિત શાહે પ્રસ્તાવ મુક્યો હતો અને જે રાજનાથ સિંહે મંજૂર કર્યો હતો. આમ નરેન્દ્ર મોદીને ફરી એક વખત સંસદીય દળનાં નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.આ દરમિયાન સંસંદમાં મોદી-મોદીના નારા લાગ્યા હતા.

 

હાઈલાઇટ્સ

નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે બધા વરિષ્ઠ એનડીએનાં સાથીઓએ મને આશીર્વાદ આપ્યો છે. તમે બધાએ મને નેતા તરીકે પસંદ કર્યા છે. હું તેને સિસ્ટમનો ભાગ ગણું છું. હું પણ તમારામાંનો એક છું. હું તમારી સમાન જ છું, આપણે ખભા થી ખભા મેળવીને ચાલવું પડશે.

એનડીએ સંસદીય પક્ષનાં નેતા તરીકે ચૂંટાયા પછી, નરેન્દ્ર મોદીએ સંસદમાં Constitution book સામે તેમનું માથુ જુકાવ્યુ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ આ નવી મુસાફરી માટે પ્રતિબદ્ધ છે.

ભાજપ સંસદીય પક્ષનાં નેતા તરીકે ચૂંટાયા પછી નરેન્દ્ર મોદી એનડીએ સંસદીય પક્ષનાં નેતા તરીકે ચૂંટાયા છે. માનવામાં આવે છે કે, આ બેઠક પછી મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. એનડીએનાં આ વખતે 352 સાંસદ છે. તેમાંથી ભાજપનાં જ એકલાનાં 303 સભ્યો છે. મોદીને પહેલેથી જ એનડીએનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. તેથી હવે તેમની ફરી વખત પસંદગી કરવી માત્ર ઔપચારિકતા છે. સૂત્રોનું કહેવું છે કે, મોદી 28 મેનાં રોજ વારાણસી જઈ શકે છે અને 30 મેનાં રોજ શપથ લે તેવી શક્યતાઓ છે. દરમિયાન શુક્રવારે સાંજે કેન્દ્રીય કેબિનેટે 16મી લોકસભા ભંગ કરવાની દરખાસ્ત પાસ કરી દીધી છે. વડાપ્રધાન મોદીનાં રાજીનામા સાથે આ ભલામણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલાઈ છે. 17મી લોકસભાની રચના 3 જૂન પહેલાં કરવાની છે. આજે સવારે ચૂંટણીપંચે નવા સાંસદોની યાદી નોટિફાઈ કરી રાષ્ટ્રપતિને સોંપી દીધી છે.

ભાજપના અધ્યક્ષ અમિત શાહે ભાજપના સંસદીય પક્ષના નેતા તરીકે નરેન્દ્ર મોદીનું નામ પ્રસ્તાવ મૂક્યું હતું. આ દરખાસ્તને રાજનાથસિંહ અને નીતિન ગડકરીએ ટેકો આપ્યો હતો. ત્યારબાદ ઔપચારિક રીતે ભાજપ અધ્યક્ષ અમીત શાહે એકવાર ફરી નરેન્દ્ર મોદીની ભાજપ સંસદીય દળનાં નેતા તરીકે સર્વાનુમતે પસંદગી હોવાની ઘોષણા કરી.

અકાલી દળનાં નેતા પ્રકાશ સિંહ બાદલે નરેન્દ્ર મોદીનાં નામનો પ્રસ્તાવ મુક્યો. તેમના નામનું સમર્થન જેડીયુ અધ્યક્ષ નીતિશકુમાર, એલજેપી પ્રમુખ રામવિલાસ પાસવાન સહિત એનડીએનાં સહયોગીઓએ કર્યો.