Morbi/ મોરબી હોનારતઃ કેટલાય અનાથ બન્યા તો ઘણાના કુટુંબના તારલા ખરી પડ્યા

મોરબી માટે રવિવાર કાળમુખો બનીનો આવ્યો છે. સસ્પેન્શન બ્રિજ તૂટવાની ઘટનાના લીધે કેટલાય બાળકો અનાથ બની ગયા છે તો ઘણા લોકોના કુટુંબના તારલા ખરી પડ્યા છે.

Top Stories Gujarat Rajkot
morbi gujarat bridge collapse 6 jpg મોરબી હોનારતઃ કેટલાય અનાથ બન્યા તો ઘણાના કુટુંબના તારલા ખરી પડ્યા

મોરબી માટે રવિવાર કાળમુખો બનીનો આવ્યો છે. સસ્પેન્શન બ્રિજ તૂટવાની ઘટનાના લીધે કેટલાય બાળકો અનાથ બની ગયા છે તો ઘણા લોકોના કુટુંબના તારલા ખરી પડ્યા છે. આમ મોરબી માટે રવિવારની સાંજ ગોઝારી સાબિત થઈ છે.

રવિવારે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ ઝૂલતો પુલ ધરાસાયી થયો ને એકસાથે 400થી વધુ લોકો મચ્છૂ નદીમાં પડ્યાં જેમાં અત્યાર સુધી 200થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને મચ્છુ નદીમાં હજુ પણ અનેક મૃતદેહો ફસાયા હોવાની આશંકા છે.

આ જીવ ગુમાવનાર લોકોમાં માતા-પિતા સાથે ચાર વર્ષનો માસૂમ જિયાંશના પણ માતાપિતા શામેલ છે. મૂળ હળવદ શહેરના હાર્દિક ફળદુ મોરબીમાં સીએ તરીકે કામ કરતા હતા. પત્ની મીરલ ફળદુ અને ચાર વર્ષનો દીકરા જિયાંશ સાથે ઝૂલતા પુલ પર ફરવા માટે ગયા હતા. દુર્ઘટના સર્જાઇ ત્યારે જિયાંશ પણ તેના માતાપિતા સાથે આ પુલ પર હાજર હતો અને પુલ તૂટતાં આખો પરિવાર નદીમાં ખાબક્યો હતો.
દુર્ઘટનામાં જિયાંશના માતા-પિતાએ પોતાનો જીવ ગુમાવ્યો પણ આ ચાર વર્ષના માસૂમનો આબાદ બચાવ થયો. પણ મોરબીની આ દુર્ઘટનાએ ચાર વર્ષની ઉંમરમાં જ માસૂમ પાસેથી માતા-પિતાની છત્રછાયા છીનવી લીધી છે. જિયાંશ સહિત આ ઝૂલતા પુલની દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે.

તહેવારનો સમય હોવાથી રાજ્યના અલગ અલગ ખૂણેથી ઘણા પરિવારો ઝૂલતા પુલ પરની મજા માણવા માટે આવ્યા હતા પણ ઝૂલતો પુલ તૂટવાની આ રૂહ કાંપી જાય તેવી ઘટનામાં રાપરનાં હલીમાબેનનું સર્વસ્વ લૂંટાઈ ગયું. હલીમાબેને આ દુર્ઘટનામાં પોતાના પરિવારના 6 લોકો ગુમાવ્યા છે. રાપરથી એમની છોકરીની નણંદની સગાઇમાં આવેલ હલીમાબેને સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે કોઈ આવી દુર્ઘટના કાળ બનીને તેના પરિવારને ભરખી જશે. આ દુર્ઘટનામાં હલીમાબેને તેમની દીકરી, જમાઈ અને તેમની દીકરીની ચાર વર્ષની દીકરી અને ચાર વર્ષનો દીકરા સાથે એમના જેઠ અને તેના દીકરાને ગુમાવી દીધા.