ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા/ અમદાવાદમાં કયા રસ્તાથી નીકળશે રથયાત્રા, જુઓ રૂટ

અષાઢી બીજ મંગળવારના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે આ રથયાત્રાને 18 કિલોમીટર ફેરવવામાં આવે છે ત્યારબાદ રથ મંદિર પરત ફરશે. આ દિવસ કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવશે, જ્યારે કેટલાક રસ્તાઓ માટે ડાઇવર્ઝન પણ આવામાં આવશે.

Top Stories Ahmedabad Gujarat
રથયાત્રા

આજે જગતના નાથ ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા છે. રથયાત્રા અષાઢી બીજના રોજ નીકળે છે. જયારે રથયાત્રા નીકળે છે ત્યારે તેને 18 કિલોમીટર ફેરવવામાં આવે છે. ત્યારબાદ મંદિર પરત ફરે છે. આ દરમ્યાન વ્યવસ્થાના ભાગ રૂપે કેટલાક રસ્તાઓને બંધ કરવામાં આવે છે અને કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવે છે.

આ ઉપરાંત અમદાવાદમાં ચાલતી એએમટીએસ અને બીઆરટીએસ બસ વ્યવસ્થા ન ખોરવાય એનું પણ ધ્યાન રાખવામાં આવે છે. કોર્પોરેશન સંચાલીત સીટી બસ તેમજ બીઆરટીએસના રૂટ અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 122 રૂટ પર એએમટીએસની 500 બસ દોડાવાશે જ્યારે 68 રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બીઆરટીએસના 5 રૂટ પર બસ સેવા બંધ રહેશે અને ચાર રૂટોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ અંગે અમદાવાદ શહેર પોલીસએ રૂટનો નકશો જાહેર કર્યો છે.

તો ચાલો એક નજર કરીએ નકશામાં કયા રસ્તા ચાલું છે અને કયા બંધ.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરેલો રથયાત્રા દિવસનો રૂટનો નકશો

Rathyatra rute અમદાવાદમાં કયા રસ્તાથી નીકળશે રથયાત્રા, જુઓ રૂટ

પ્રતિબંધિત રૂટ

ખમારા ચાર રસ્તા- જમાલપુર ચાર રસ્તા- જમાલપુર ફૂલ બજાર

આસ્ટોડિયા ચકલા – કાલુપુર સર્કલ

સારંગપુર સર્કલ – કાલુપુર સર્કલ – કાલુપુર બ્રીજ- સરસપુર

કાલુપુર સર્કલ-પ્રેમદરવાજા-દરિયાપુર દરવાજા- દિલ્લી ચકલા

દિલ્લી દરવાજા – શાહપુર દરવાજા-શાહપુર ચકલા- રંગીલા ચોકી-આર.સી.હાઈસ્કૂલ

ઘી કાંટા ચાર રસ્તા- પાનકોર નાકા – માણેકચોક – ગોળ લીમડા

બીઆરટીએસ અને એમએમટીએસ બસના રૂટમાં ફેરફાર

મંગળવારે યોજાનારી રથયાત્રાથી અન્ય શહેરીજનોને પરિવહનમાં મુશ્કેલીઓ ન પડે તે માટે એએમટીએસ અને બીઆરટીએસ સેવામાં ફેરફાર કરવામાં આવ્યા છે. જમાલપુરથી નીકળનારી રથયાત્રાના પગલે દિલ્હી દરવાજાથી કાલુપુર સ્ટેશન જવા માટે મુસાફરોને 10 મિનિટની ફ્રીકવન્સીના આધારે બસ મળી રહે તેવી વ્યવસ્થા કરાશે.

રુટ નંબર – 4 : નરોડા ગામથી ઇસ્કોન ચાર રસ્તા રૂટ
રૂટ નંબર – 11 : એસ.પી. રીગ રોડથી એલ.ડી એન્જીકોલેજ
રૂટ નંબર -101 : એરપોર્ટથી મણિનગર રૂટ નં 1864. આરટીઓ સરક્યુલર
રૂટ નંબર – આરટીઓ એન્ટીસરક્યુલર

કયા કયા રૂટમાં થયો ફેરફાર

ઓઢવ એસ.પી.રીંગ રોડથી ભાડજ સર્કલ રૂટ નંબર 2ના બદલે ભાડજ સર્કલથી સરકારી લિથો પ્રેસ, ઓઢવ એસ.પી. રીંગ રોડથી કાલુપુર રેલવે સ્ટેશન

ઝુંડાલ સર્કલથી નારોલ રૂ. 7ના બદલે નારોલથી કાલુપુર રેલવે સ્ટેશન, ઝુંડાલ સર્કલથી સરકારી વિશે પ્રેસ. વાયા વિશ્વકર્મા એન્જ કોલેજ.

મણિનગરથી ગોતા વસંતનગર ટાઉનશિપ રૂટ નં 9ના બદલે ગોતા વસંતનગર ટાઉનશિપથી એલડી એન્જી.કોલેજ

નરોડા ગામથી સાણંદ સર્કલ રૂટ નં. 14ના બદલે આણંદ સર્કલથી દાણીલીમડા ચાર રસ્તા

આ જગ્યા એ  બીઆરટીએસ બસ સેવા બંધ રહેશે

સિવિલ હોસ્પિટલ, એએમસી દાણાપીઠ, વસુંધરા સોસાયટી, નરોડા ફ્રૂટ માર્કેટ, દિલ્હી દરવાજા, લોકમાન્ય તિલક બાગ, જીસીએસ હસ્પિટલ, મેમ્કો ક્રોસ રોડ મ્યુ. ઉત્તર ઝોન ઓફિસ, પ્રેમ દવાજા, અરવિંદ મિલ, કાલુપુર ઘી બજાર, એમ.જે. લાઇબ્રેરી, લો ગાર્ડન જીનિંગ પ્રેસ.

આ પણ વાંચો:ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા/  જો તમે જગન્નાથ રથયાત્રામાં જવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ વાનગીઓનો સ્વાદ જરૂર માણવો

આ પણ વાંચો: Khichadi No Prasad/ 56 ભોગ મૂકીને ભગવાન જગન્નાથને ખીચડીને પ્રસાદ કેમ ધરાવવામાં આવે છે?

આ પણ વાંચો:Jagannath Rathyatra/ ભગવાન જગન્નાથનો રથ કેમ મુસ્લિમની મઝાર પર રોકાય છે તે જાણો

આ પણ વાંચો:આ પણ વાંચો:ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારા થઇ પહિંદ વિધિ, રથયાત્રાનો પ્રારંભ

આ પણ વાંચો:ભગવાન જગન્નાથની 146મી ભવ્ય રથયાત્રા/ 72 વર્ષ બાદ જગતનો નાથ નવા રથમાં બિરાજમાન થશે