વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાના ફોટાને અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે.
આ પોસ્ટ PM મોદીએ સોમવારે રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અવસર પર કરી હતી. આ પોસ્ટમાં સાત ફોટા શેર કરવામાં આવ્યા હતા. પહેલા ફોટોમાં પીએમ મોદી રામલલ્લાની પ્રતિમાની સામે હાથ જોડીને ઉભા જોવા મળે છે.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ પોસ્ટ પર કેપ્શનમાં લખ્યું છે – “અયોધ્યાની દિવ્ય ક્ષણ. આ દિવસ દરેક ભારતીયને યાદ રહેશે. ભગવાન શ્રી રામ હંમેશા આપણું ભલું કરે.”
આ પોસ્ટને એક કરોડથી વધુ લાઈક્સ મળી છે
પીએમ મોદીની આ પોસ્ટને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. પોસ્ટ પર એક લાખ 72 હજારથી વધુ લોકોએ કમેન્ટ કરી છે, જ્યારે એક કરોડથી વધુ લોકોએ તેને લાઈક કરી છે. પોસ્ટમાં મોટાભાગની કોમેન્ટ ‘જય સિયા રામ’ અને ‘જય શ્રી રામ’ની છે.
View this post on Instagram
પીએમ મોદીએ અયોધ્યામાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા બાદ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે – “દુનિયાનો ઈતિહાસ જ એ વાતનો પુરાવો છે કે ઘણા દેશો પોતાના ઈતિહાસમાં ફસાઈ ગયા છે. જ્યારે દેશોએ પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવવાની કોશિશ કરી તો તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ માર્ગ આપણા દેશે ઈતિહાસની ગાંઠો ખોલી છે એ વાતનો પુરાવો છે કે આપણું ભવિષ્ય આપણા ભૂતકાળ કરતાં પણ વધુ સુંદર બનવાનું છે.”
પીએમે કહ્યું, “એક સમય હતો જ્યારે કેટલાક લોકો કહેતા હતા કે જો રામ મંદિર બનશે તો આગ લાગશે. આવા લોકો ભારતની સામાજિક ભાવનાની પવિત્રતાને સમજી શકતા નથી. અમે જોઈ રહ્યા છીએ કે આ બાંધકામ કોઈ અગ્નિને નહીં પરંતુ ઉર્જાને જન્મ આપે છે.
આ પણ વાંચો:2024 election/શું લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ? જાણો વાસ્તવિકતા
આ પણ વાંચો:રામ મંદિર દર્શન/અયોધ્યા રામ મંદિર : એરલાઈન્સ સસ્તા દરે આપી રહી છે ટિકીટ, ‘વહેલા તે પહેલા’ ધોરણે કરાવો અયોધ્યાનું બુકિંગ
આ પણ વાંચો:Delhi/26 જાન્યુઆરી : પ્રજાસત્તાક દિવસને લઈને રાજધાની દિલ્હીમાં પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી