અંજાર તાલુકાના મેઘપર ગામે આવેલા તળાવમાં એકાએક 20થી વધુ પક્ષીઓના મોત થઇ જતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પ્રવર્તી છે.તળાવમાં એકાએક 15 થી 20 જેટલા બતકો કોઈપણ કારણોસર મૃત્યુ પામ્યા હતા.ત્યારે તળાવમાં બિનજરૂરી વસ્તુઓ ફેકતા અસામાજિક તત્વો પર તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ તળાવની પાસે આવેલા મેલડી માતાજીના મંદિરના પુજારી દ્વારા કરવામાં આવી છે.
અંજાર તાલુકાના મેઘપર કુંભારડી મધ્યે આવેલમાં તળાવમાં એકાએક 20થી વધુ પક્ષીઓના મોત થતાં જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પ્રવર્તી છે. અંજાર તાલુકાના મેઘપર (કુંભારડી) ગામ નજીક આવેલ મેલડી માતાજીના મંદિર પાસે ના તળાવમાં એકાએક 15 થી 20 જેટલા બતકો કોઈપણ કારણોસર મૃત્યુ પામતા જીવ દયા પ્રેમીઓમાં આક્રોશની લાગણી ફેલાઇ છે. ત્યારે તળાવમાં બિનજરૂરી વસ્તુઓ ફેકતા અસામાજિક તત્વો પર તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ મંદિરના પુજારી દ્વારા કરવામાં આવી છે.
હાલ પાણીમાં મૃત હાલતમાં જોવા મળેલ 15 થી 20 જેટલા પક્ષીઓના મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ લોકો દ્વારા અંધશ્રદ્ધામાં આવી ને જે કઈ પૂજાપાની સામગ્રી ઠાલવી જવાય છે તે નિંદનીય છે. સંબધિત તંત્ર દ્વારા યોગ્ય તપાસ હાથ ધરી પક્ષીઓના બચાવ માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી છે.
આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજનાના નકલી ફોર્મના નામે છેતરપિંડીનું કૌભાંડ, છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો
આ પણ વાંચો:ખેડૂતો માટે ચિંતાના સમાચાર, હવામાન વિભાગ દ્વારા આવતીકાલે માવઠાની આગાહી
આ પણ વાંચો:રાજકોટ-જામનગર હાઇવે પર અકસ્માત, ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત