Not Set/ ગુજરાતના 600 થી વધુ શિલ્પકારો ઓસ્ટ્રેલિયામાં જૈન મંદિર બનાવશે

તાજેતરમાં આ જિનાલયનો શિલાન્યાસ થયો છે અને ૩૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જગવલ્લભ સૂરીશ્વરજી મહારાજની હાજરીમાં આ શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

World
temple ગુજરાતના 600 થી વધુ શિલ્પકારો ઓસ્ટ્રેલિયામાં જૈન મંદિર બનાવશે

ભારત દેશ તેની ધાર્મિક મૂલ્ય અને સિદ્વાંતો થી ઓળખાય છે. મંદિરોની નગરી  કહેવામાં આવે છે ભારતને  પરંતુ દેશની સંસ્કૃતિનો સમન્વય વિદેશની ધરતી પર પણ જોવા મળે છે. વિશ્વમાં એવો કોઇ દેશ નહીં હોય કે યાં ગુજરાતી અને મંદિરો નહીં હોય, અમેરિકા અને બ્રિટનની ધરતી પર પણ મોટા મંદિરોનું નિર્માણ થયેલું છે. ઓસ્ટ્રેલિયામાં પણ અનેક મંદિરો આવેલા છે પરંતુ હવે નવું એક મંદિર આ ધરતી પર આકાર લઇ રહ્યું છે.ઓસ્ટ્રેલિયામાં વસતા જૈન પરિવારો માટે મેલબોર્નમાં શિખરબદ્ધ જૈન મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. આ મંદિરને ગુજરાતના ૬૦૦ જેટલા શિલ્પકારો બનાવી રહ્યાં છે. મંદિરના નિષ્ણાતં રાજેશ સોમપુરાના માર્ગદર્શન પ્રમાણે આ મંદિર બને છે.

મેલબોર્નમાં તૈયાર થઇ રહેલા આ મંદિરની ખાસિયત એવી છે કે આ મંદિરને ૧૦૦૦ વર્ષ સુધી કઇં થશે નહીં. ત્રણ વર્ષમાં આ જિનાલય તૈયાર કરાશે. અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ પણ સોમપુરા સમાજના શિલ્પીઓ દ્રારા થઇ રહ્યું છે તેવી રીતે ઓસ્ટ્રેલિયાના આ મંદિરમાં પણ સોમપુરાનો મહત્વનો રોલ છે.આ જૈન મંદિરના બાંધકામ માટે ૧૫૦૦ ટન જેટલા માર્બલનો ઉપયોગ થશે અને તે માર્બલ રાજસ્થાનથી ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં જશે. આ મંદિરમાં લોખડં અને સિમેન્ટનો ઉપયોગ થવાનો નથી. રાજસ્થાન ઉપરાંત કેટલાક માર્બલ ગુજરાતમાંથી પણ જવાના છે.આ જૈન મંદિર તૈયાર થશે ત્યારે ઓસ્ટ્રેલિયાનું તે સૌથી ઉંચું શિખરબદ્ધ જિનાલય હશે. તાજેતરમાં આ જિનાલયનો શિલાન્યાસ થયો છે અને ૩૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જગવલ્લભ સૂરીશ્વરજી મહારાજની હાજરીમાં આ શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો