Not Set/ વાઘોડિયામાં કોરોના વાયરસે માતા પુત્રના જીવ લેતા પરિવારમાં શોક

વાઘોડિયા માડોધર ગ્રામ પંચાયતમા સભ્ય તરીકે ચુંટાએલ અને ભાજપા યુવા સંગઠણના પ્રવિણભાઈ ગણપત સિંહ (ઊં. વર્ષ 39)નું કોરોનાની સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ.માડોધર રોડ પર શિવકૃપા સોસાયટીમા પરિવાર સાથે રહેતા પ્રવિણભાઈના માતા, પિતા અને ભાઈ કોરોના પોઝિટિવ આવતા પારુલ હોસ્પિટલમા સારવાર હેઠળ હતાં. જેમા ત્રણેવની તબીયત નાજુક હતી. માતા નંદુબેન ગણપતસિંહ ચૌહાણ (58)નું બે દિવસ […]

Gujarat
orig 2 1619373062 વાઘોડિયામાં કોરોના વાયરસે માતા પુત્રના જીવ લેતા પરિવારમાં શોક

વાઘોડિયા માડોધર ગ્રામ પંચાયતમા સભ્ય તરીકે ચુંટાએલ અને ભાજપા યુવા સંગઠણના પ્રવિણભાઈ ગણપત સિંહ (ઊં. વર્ષ 39)નું કોરોનાની સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ.માડોધર રોડ પર શિવકૃપા સોસાયટીમા પરિવાર સાથે રહેતા પ્રવિણભાઈના માતા, પિતા અને ભાઈ કોરોના પોઝિટિવ આવતા પારુલ હોસ્પિટલમા સારવાર હેઠળ હતાં. જેમા ત્રણેવની તબીયત નાજુક હતી.

માતા નંદુબેન ગણપતસિંહ ચૌહાણ (58)નું બે દિવસ પહેલા મોત નિપજ્યુ હતુ. જ્યારે ગણપતભાઈની તબીયત સ્થિર બની હતી. પરંતુ પ્રવિણભાઈને શ્વાસ લેવામા તકલીફ પડતા તેઓને ICUમાં વેન્ટિલેટરપર સારવાર શરૂ કરાઈ હતી. પ્લાઝમા પણ ચઢાવ્યા હતા. પરંતુ તબીયતમા સુઘારો ના થતા રવિવારે વહેલી સવારે હોસ્પિટલના ICUમા દમ તોડ્યો હતો. રવિવારે વાઘોડિયામા કુલ 12 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે.