Valsad News : લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ તેઓ વલસાડ જિલ્લાના વિવિધ પ્રશ્નો અને વિકાસકાર્યો અંગે સતત કાર્યરત રહી રાજ્ય તેમુજ કેન્દ્ર સરકારને રજૂઆતો કરતા આવ્યા છેવલસાડ જિલ્લાના મુખ્ય મથક ગણાતા વલસાડ શહેરના વલસાડ રેલવે સ્ટેશન ખાતેથી વંદે ભારત ટ્રેન શરૂ કરવા અને સ્ટોપેજ આપવા માટેની વખતો વખત રૂબરૂ મુલાકાત કરી કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીને લેખિત રજૂઆતો કરી હતી,
આ સાથે જ તેમણે આ પ્રશ્નને સંસદમાં પણ રજૂ કર્યો હતી. સાંસદ ધવલ પટેલના તથા અથાગ પ્રયત્નો થકી આખરે કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા વલસાડ રેલવે સ્ટેશન ખાતેથી વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવાનું જાહેર કરવામાં આવતા રેલ મુસાફરી કરતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે*
આ પણ વાંચો:દાહોદમાં મનરેગા કૌભાંડને લઈ ગાંધીનગરથી તપાસ
આ પણ વાંચો:સમગ્ર રાજ્યમાં ચાલતા મનરેગા કૌભાંડની CBI તપાસ કરાવો : અમિત ચાવડા
