દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને ચાર વર્ષ થઈ ગયા છે. તેના મૃત્યુ પાછળનું કારણ તેના પ્રિયજનોને હજુ સુધી ખબર નથી. થોડા દિવસો પહેલા અભિનેતાની બહેન શ્વેતા સિંહ કીર્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી હતી. હવે હિન્દી ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ અભિનેતા મુકેશ ખન્નાએ દિવંગત અભિનેતા માટે ન્યાયની માંગ કરી છે.
મુકેશ ખન્નાએ શું કહ્યું વાંચો તેમના વીડિયોમાં.યુટ્યુબ પર વીડિયો જાહેર કરતા મુકેશ ખન્નાએ કહ્યું, ‘હું મૃતદેહો નથી ખોદી રહ્યો, હું સુશાંતની આત્માનો અવાજ સાંભળી રહ્યો છું. તેનો આત્મા હજુ પણ ન્યાયથી વંચિત છે…તેની સાથે જે કંઈ થયું તે હજુ પણ શંકાઓથી ઘેરાયેલું છે. ક્યારેક કોઈએ કહ્યું કે રિયા ચક્રવર્તી જવાબદાર છે તો રિયાએ કહ્યું કે હું જવાબદાર નથી. પછી રિયા છૂટી ગઈ અને આજે તે મુક્ત બેઠી છે.
પોતાનું વક્તવ્ય પૂરું કરતાં મુકેશે કહ્યું, ‘પાણી માથા ઉપરથી વહી ગયું છે, જેણે ગુનો કર્યો છે. તેને સજા મળવી જોઈએ. કેસ ફરીથી ખોલવો જોઈએ. ફરીથી તમામ જોડાયેલા લોકોની પૂછપરછ થવી જોઈએ. ત્યારે જ લોકોને લાગશે કે આપણા દેશમાં પણ કાયદો છે.
આ પણ વાંચો:અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની મસ્તી જોઈ તમે હસતા હસતા થાકી જશો
આ પણ વાંચો:કાસ્ટિંગ કાઉચ પર છલકાયું ટી.વી. અભિનેત્રીનું દર્દ
આ પણ વાંચો:અભિનેત્રી સારા અલી ખાનની જોવા મળી ઉદારતા
આ પણ વાંચો:સાઉથના અભિનેતાનું 48 વર્ષે હાર્ટ એટેકથી મોત