આત્મહત્યા માટે ઉશ્કેરવા મામલે ‘રિપબ્લિક ટીવી’ના એડિટર-ઇન- ચીફ અર્નબ ગોસ્વામીને અલીબાગ કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ કેસમાં અર્નબ ગોસ્વામી અને અન્ય બે આરોપી 18 નવેમ્બર સુધી કસ્ટડીમાં રહેશે. કોર્ટે ગોસ્વામીના આક્ષેપને પણ ફગાવી દીધો હતો, જેમાં તે એમ કહી રહ્યો હતો કે પોલીસે તેની સાથે બળજબરીથી કરી છે. અર્નબ દિવસભર ઘણી વાર આ આરોપ રટતો રહ્યો હતો. આ સિવાય કોર્ટની અંદર ફોનનો ઉપયોગ કરવા અને કાર્યવાહીનું લાઇવ પ્રસારણ કરવા બદલ અર્નબ ગોસ્વામીને કોર્ટે ઠપકો આપ્યો હતો.
પોલીસે ગોસ્વામીની 14 દિવસની કસ્ટડીની વિનંતી કરી હતી પરંતુ કોર્ટે કહ્યું કે કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની જરૂર નથી. ગોસ્વામીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા બાદ તેમના વકીલો આબાદ પોંડા અને ગૌરવ પારકરે જામીન માટે અરજી કરી છે. પોંડાએ જણાવ્યું હતું કે કોર્ટે પોલીસને જવાબ રજૂ કરવા જણાવ્યું છે અને ગુરુવારે આ કેસની આગામી સુનાવણી સૂચિબદ્ધ કરવામાં આવી છે.’
આ પણ વાંચો : અર્નબ ગોસ્વામી મામલે ગુજરાત ભાજપનાં વલણને લઇને કોંગ્રેસે કર્યા વેધક સવાલો…
આપને જણાવી દઈએ કે, એક ઈન્ટીરિયર ડિઝાઈનરને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા મામલે બુધવારે સવારે ધરપકડ કરાયેલ અર્નબ ગોસ્વામી વિરુદ્ધ બીજી એક એફઆઈઆર નોંધાઈ છે. બુધવારે સવારે જ્યારે પોલીસ તેના નિવાસસ્થાને પહોંચી ત્યારે તેના પર મહિલા પોલીસ અધિકારી પર હુમલો કરવાનો આરોપ છે. ગોસ્વામી વિરુદ્ધ એન.એમ.જોશી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 353, 504 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ઉર્વશી રૌતેલા ફર્ન એમેટોની ફિલ્મમાં બની ઇજિપ્તની રાણી, આટલા કરોડનો પહેર્યો ડ્રેસ, જુઓ
‘રિપબ્લિક ટીવી’ ના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીને બુ 53 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉશ્કેરવા મામલે ધવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી. ગોસ્વામીએ દાવો કર્યો હતો કે પોલીસે તેની સાથે તેના ઘરે બળજબરી કરી હતી. જે કેસમાં સિનિયર પત્રકારની ધરપકડ કરવામાં આવી છે તે ખરેખર વર્ષ 2018 નો છે. મે 2018 ના મહિનામાં, ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વયે નાયક અને તેની માતા કુમુદ નાયકે અલીબાગ સ્થિત તેમના ઘરે આત્મહત્યા કરી હતી. મરતા પહેલા અન્વયે એક સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે ત્રણ લોકોને તેની મોત માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેમાંથી એક અર્નબ ગોસ્વામિકા પણ છે.