ગાંધીનગરઃ વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપના ચાલ ચરિત્ર્ય અને ચહેરા પર નિશાન સાધ્યું હતું. નલિયા દુષ્કર્મ પર ભાજપ પર વાર કરતા વાઘેલાએ જણાવ્યુ હતું કે, નલિયાકાંડમાં ભાજપના અમુક મંત્રીઓ સહિત ૧૦ જેટલા મોટા માથાઓ સંડોવાયા હોવાનો આક્ષેપ કરી તેમની સીડી પોતાની પાસે હોવાનો દાવો કરતા ખળભળાટ મચી ગયો છે. જરૂર પડયે આ સીડી પોતે જાહેર કરશે તેવુ તેમણે પત્રકારોને જણાવ્યુ હતું.
શંકરસિંહે પત્રકારોને જણાવેલ કે કચ્છના નલિયામાં જે ઘટના બની તે અત્યંત વખોડવા પાત્ર છે. પ્રશિક્ષણના નામે દુષ્કૃત્ય ચાલતા હતા. આ પ્રકરણમાં ભાજપના અમુક પ્રધાનો સહિત ૧૦ જેટલા આગેવાનો સંડોવાયેલા છે. જેના સમર્થનરૂપ સીડી મારી પાસે છે. ભાજપનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે.
આના પર પ્રતિક્રિયા આપતા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે,