નર્મદા,
કેવડીયામાં સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમાનું આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કર્યું હતું.સવારે 10.30 કલાકે પીએમ મોદીએ 182 મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરીને તેને વિશ્વ સમક્ષ મુકી હતી. તો બીજી બાજુ સ્ટેચ્ચુ ઓફ યુનિટીનો આદિવાસીઓએ વિરોધ કર્યો છે.
સ્ટેચ્ચુ ઓફ યુનિટીનો આદિવાસીઓએ વિરોધ કર્યો હતો. આદિવાસી નેતા પ્રફુલ્લ વસાવા અને રાજેશ વસાવાએ વિરોધ કર્યો હતો. કાળા ફુગ્ગા ઉડાવી સરદારની પ્રતિમાના લોકાર્પણનો વિરોધ કર્યો હતો.