દેશની રાજધાની દિલ્લીમાં શિવ વિહારથી ત્રીલોકપુરી વચ્ચેની પિંક લાઈન મેટ્રોનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મેટ્રો રૂટ દિલ્લી મેટ્રો ટ્રેનનો સૌથી હાઇટેક રૂટ છે. આ મેટ્રો લાઈનને યુનિયન મીનીસ્ટર હરદીપ સિંહ પૂરી અને દિલ્લી ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી.
આજે બપોરથી લોકો આ રૂટ પર ટ્રાવેલ કરી શકશે. પરંતુ આ મેટ્રો રૂટ થોડો અટપટો છે. પિંક લાઈનનાં શિવ વિહારથી ત્રીલોકપુરી સેક્શન પર બે વાર બદલવી પડશે એક જ લાઈનની મેટ્રો. જો ટ્રેન શિવ વિહારથી ત્રીલોક્પુર તરફ જશે એનાં યાત્રીઓને મૌજપુર – બાબરપુર સ્ટેશન પર ટ્રેન ખાલી કરવી પડશે. આનું કારણ છે કે ત્રીલોકપુરી – સંજય ઝીલ સ્ટેશનથી આગળ મયુર વિહાર પોકેટ-1 તરફ જવા માટે જમીનનો મુદ્દો હજી સોલ્વ થયો નથી જેને કારણે 1.5 કિલોમીટરની લીંક મિસિંગ છે.
7.8 કિમી લાંબા અને 15 સ્ટેશનો વાળા આ નવા સેક્શનનાં એક છેડાથી બીજા છેડા સુધી પહોંચતા 35 મિનીટ થશે. આ સેક્શનની મેટ્રોની ડીઝાઇન એકદમ હટકે બનાવામાં આવી છે. નવી સીસ્ટમને સમજતા હજી લોકોને વાર લાગશે એ સ્વાભાવિક છે.