દિલ્લી,
દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ દ્વારા રાજધાની દિલ્લીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે બે દિવસ ચાલનારા ૮૪માં રાષ્ટ્રોય અધિવેશનનો શનિવારે પ્રારંભ થયો હતો. આ અધિવેશનમાં દેશભરના કોંગ્રેસના હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. રાહુલ ગાંધીના કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર યોજાઈ રહેલા આ અધિવેશનને તેઓએ કાર્યકરોને સંબોધ્યા હતા અને ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.
Visuals from Congress Plenary Session underway at #Delhi's Indira Gandhi Stadium. pic.twitter.com/FjK3u987Y2
— ANI (@ANI) March 17, 2018
મોદી સરકાર પર હુમલો કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું, “આજે દેશમાં ગુસ્સો ફેલાવવામાં આવી રહ્યો છે, લોકોના ભાઈચારાને તોડવાનું કામ કરાઈ રહ્યું છે”.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું,
This is the only symbol (Congress party symbol) that can unite the nation and take it forward: Rahul Gandhi at Congress Plenary Session in Delhi pic.twitter.com/mE4fNbAs4n
— ANI (@ANI) March 17, 2018
દેશમાં આંજે લોકોને એક-બીજા સાથે લડાવવામાં આવી રહ્યા છે. જયારે કોંગ્રેસ પાર્ટી દ્વારા હંમેશા દેશને જોડવાની વાત કરી છે.
They (BJP) uses anger we use love but one thing that I want to say is that this country belongs to everyone & whatever Congress will do will be for the benefit for all: Rahul Gandhi
— ANI (@ANI) March 17, 2018
દેશમાં બે પાર્ટીઓ છે, જેમાં એક પાર્ટી દેશમાં ગુસ્સાનો પ્રયોગ કરે છે, પરંતુ અમારી પાર્ટી પ્રેમ અને ભાઈચારાથી આગળ વધી રહી છે.
The nation is tired & looking for a way out, only Congress can show the way ahead: Rahul Gandhi at Congress Plenary Session
— ANI (@ANI) March 17, 2018
હાથના નિશાનના તાકાતથી જ દેશને આગળ ધપાવી શકાય છે.
કોંગ્રેસ પાર્ટી નવા ઈરાદાથી આગળ વધશે, યુવા લોકો પાર્ટીને ચલાવશે પરંતુ સીનીયર લોકોને સાથે લઈને જ પાર્ટી આગળ વધશે.
બીજેપી પર નિશાન સાધતા તેઓએ જણાવ્યું, અમે પોતાના સીનીયર નેતાઓને ક્યારેય ભૂલતા નથી. અમારી પાર્ટીના વરિષ્ટ નેતાઓ જેવા કે સોનિયા ગાંધી, મનમોહનસિંહ પાર્ટી માટે લડે છે.
દેશને ફક્ત કોંગ્રેસ પાર્ટી જ નવો રસ્તો બતાવી શકે છે. જયારે દેશના ખેડૂત, મજુરો અને ગરીબ લોકો જયારે મોદી સરકારની તરફ જોવે છે ત્યારે તેઓને રસ્તો દેખાતો નથી.
મોદી સરકારમાં લોકો એ સમજી શકતા નથી કે તેઓને રોજગારી ક્યારે મળશે, ખેડૂતોનો પોતાના અધિકાર ક્યારે મળશે ?
Sonia Gandhi, Rahul Gandhi & Manmohan Singh at #Delhi's Indira Gandhi Stadium for Congress' plenary session. pic.twitter.com/0QtEdWENym
— ANI (@ANI) March 17, 2018
મહત્વનું છે કે, રાજધાની દિલ્લીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે કોંગ્રેસ પાર્ટીનું ૮૪મું અધિવેશન આયોજિત કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, આ અધિવેશનની મુખ્ય નજર ૨૦૧૯ના લોકસભા ચૂંટણી પર હોઈ શકે છે. આ અધિવેશનમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, ગુલામ નબી આઝાદ, જનાર્ધન ત્રિવેદી સહિતના દિગ્ગજ નેતાઓ તેમજ પાર્ટીના હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.
