Not Set/ “હારનો પ્રભાવ” : છત્તીસગઢ ભાજપના કાર્યાલય પર છવાઈ ગયો સન્નાટો

રાયપુર, પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની મતગણતરી મંગળવારે હાથ ધરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં પ્રાપ્ત થઇ રહેલા આંકડા મુજબ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે, તો તેલંગાણામાં TRS, મિઝોરમમાં MNF બહુમતીથી પોતાની સરકાર બનાવી શકે છે. જયારે છત્તીસગઢમાં વિપક્ષમાં રહેલી કોંગ્રેસ પાર્ટી હાલમાં બહુમતીનો આંકડો પાર કરી ચુકી […]

India Trending
vh "હારનો પ્રભાવ" : છત્તીસગઢ ભાજપના કાર્યાલય પર છવાઈ ગયો સન્નાટો

રાયપુર,

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની મતગણતરી મંગળવારે હાથ ધરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં પ્રાપ્ત થઇ રહેલા આંકડા મુજબ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે, તો તેલંગાણામાં TRS, મિઝોરમમાં MNF બહુમતીથી પોતાની સરકાર બનાવી શકે છે.

DuH8IR WsAAZkbk "હારનો પ્રભાવ" : છત્તીસગઢ ભાજપના કાર્યાલય પર છવાઈ ગયો સન્નાટો

જયારે છત્તીસગઢમાં વિપક્ષમાં રહેલી કોંગ્રેસ પાર્ટી હાલમાં બહુમતીનો આંકડો પાર કરી ચુકી છે અને પોતાની સરકાર બનાવતી જોવા મળી રહી છે.

છત્તીસગઢ "હારનો પ્રભાવ" : છત્તીસગઢ ભાજપના કાર્યાલય પર છવાઈ ગયો સન્નાટો

બીજી બાજુ વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપની ડો. રમણસિહ સરકારનો કારમો પરાજય થઇ રહ્યો છે, ત્યારે આ જ પરાજયનો ડર ભાજપના પ્રદેશ કાર્યાલય પર જોવા મળી રહ્યો છે. હાલમાં પાર્ટીના કાર્યાલય પર એકદમ સન્નાટો છવાઈ ગયો છે.

જયારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા પાર્ટીને મળેલી શાનદાર જીતનો ઉત્સાહ મનાવવામાં આવી રહ્યો છે. ઢોલ-નગારા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.