અમદાવાદ,
વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ વળતો પ્રહાર કરતાં અમદાવાદની ક્રાઇમ બ્રાંચના જોઇન્ટ પોલિસ કમિશનર જે કે ભટ્ટ પર સનસનીખેજ આરોપો મુક્યા છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પ્રવીણ તોગડિયાએ ક્રાઇમ બ્રાંચ પર આરોપ લગાવતા કહ્યું હતું કે,”અમદાવાદની ક્રાઇમ બ્રાંચે તેમની વિરૂધ્ધ ષડયંત્ર રચ્યું છે”.
ક્રાઇમબ્રાંચના જોઇન્ટ કમિશનર જે કે ભટ્ટ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સતત સંપર્કમાં રહેતા હતા. અને યોગ્ય સમયે તે જેસીપી જે કે ભટ્ટ સામે કાયદાકીય કાર્યવાહી કરશે.
પ્રવીણ તોગડિયાએ જેસીપી જે કે ભટ્ટે છેલ્લા 15 દિવસમાં પીએમ સાથે કેટલી વાત કરી તેની કોલ ડીટેલ કઢાવવાની પણ માંગણી કરી હતી.
પ્રવીણ તોગડિયાએ આરએસએસના નેતા સંજય જોશીની કથિત અભદ્ર સીડી અંગે પણ કહ્યું હતું કે, “આ સીડી નકલી હતી અને આવી સીડી બનાવવા પાછળ કોનો હાથ હતો તેનો સમય આવે તે પર્દાફાશ કરશે. સંજય જોશીની સીડીને વહેતી કરવા પાછળ ક્રાઇમ બ્રાંચનો જ હાથ હતો એમ પણ તેઓએ જણાવ્યું હતું.
જેસીપી જે કે ભટ્ટ સામે આરોપોનો મારો ચાલુ રાખતા કહ્યું, “તે અડધી રાતે મારા કાર્યકરોને ઉઠાવે છે અને ધમકીઓ આપે છે”.