Not Set/ ચોંકાવનારો ખુલાસો : ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરને પેંક્રિયાટિક કેન્સર …

મહિનાભરથી ચિકિત્સકોની દેખરેખ હેઠળ રહેતાં ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરને પેંક્રિયાટિક કેન્સર છે. શનિવારે ગોવા સરકારના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ આ વાતની જાણકારી આપી. વિપક્ષ છેલ્લાં કેટલાંક દિવસોથી પૂછી રહ્યાં હતા કે શું પરિકર શાસન ચલાવવાની અવસ્થામાં છે. જે બાદ સ્વાસ્થ્ય મંત્રીએ આ નિવેદન આપ્યું છે. વિશ્વજીત રાણેએ કહ્યું કે, પારિકર ગોવાના મુખ્યમંત્રી છે. સાચી વાત એ છે […]

Top Stories India
Manohar Parrikar ચોંકાવનારો ખુલાસો : ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરને પેંક્રિયાટિક કેન્સર ...

મહિનાભરથી ચિકિત્સકોની દેખરેખ હેઠળ રહેતાં ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરને પેંક્રિયાટિક કેન્સર છે. શનિવારે ગોવા સરકારના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ આ વાતની જાણકારી આપી. વિપક્ષ છેલ્લાં કેટલાંક દિવસોથી પૂછી રહ્યાં હતા કે શું પરિકર શાસન ચલાવવાની અવસ્થામાં છે. જે બાદ સ્વાસ્થ્ય મંત્રીએ આ નિવેદન આપ્યું છે.

vishwajit e1540720866953 ચોંકાવનારો ખુલાસો : ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરને પેંક્રિયાટિક કેન્સર ...

વિશ્વજીત રાણેએ કહ્યું કે, પારિકર ગોવાના મુખ્યમંત્રી છે. સાચી વાત એ છે કે તેઓ ઠીક નથી. તેમને પેંક્રિયાટિક કેન્સર છે. આ વાતને છુપાવવાનો કોઈ હેતુ જ નથી. પરિકરે લાંબા સમય સુધી ગોવાના લોકોની સેવા કરી છે. એવામાં તેમને એટલો અધિકાર તો છે કે કેટલોક સમય પરિવારની સાથે વિતાવી શકે.

vishwajit p rane e1540720902594 ચોંકાવનારો ખુલાસો : ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરને પેંક્રિયાટિક કેન્સર ...

રાણેએ કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, તેઓ મુખ્યમંત્રીના સ્વાસ્થ્યને લઈને પણ રાજનીતિ કરી રહી છે. જો કોંગ્રેસ આ મામલે કોર્ટ જવા ઈચ્છે તો જાય. તેઓ તે માટે સ્વતંત્ર છે.