Delhi News: નેશનલ હેરાલ્ડ અખબારની શરૂઆત વર્ષ 1938માં થઈ હતી. આ અખબાર માત્ર એક પ્રકાશન ન હતું, પરંતુ તે સમયની સ્વતંત્રતા ચળવળનો એક મહત્વપૂર્ણ અવાજ હતો. તેનું સૂત્ર “સ્વતંત્રતા જોખમમાં છે, તમારી બધી શક્તિથી તેનું રક્ષણ કરો” આજે પણ દેશની લોકશાહી, બંધારણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું મહત્વ યાદ અપાવે છે.
સમય બદલાયો, સરકારો બદલાઈ, પરંતુ નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મૂલ્યો અને વિચારો આજે પણ પ્રાસંગિક છે. તાજેતરમાં 16 ડિસેમ્બરના અદાલતના ચુકાદાએ આ જ મૂલ્યોને ફરી મજબૂત કર્યા છે.
જયરામ રમેશ દ્વારા ટ્વિટ કરાયું….
આ આપણા શ્રેષ્ઠ ઇતિહાસકારોમાંના એકનો અદ્ભુત લેખ છે જે કોલકાતામાં નેતાજી રિસર્ચ બ્યુરોના ડિરેક્ટર પણ હતા.
This is a wonderful article by one of our finest historians who is also the Director of the Netaji Research Bureau in Kolkatahttps://t.co/cAEPCw1Uop pic.twitter.com/c5IjC4yisD
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 16, 2025

નેશનલ હેરાલ્ડ મામલે,અદાલતનો ચુકાદો અને રાજકીય આરોપો
દિલ્હીની વિશેષ અદાલતે નેશનલ હેરાલ્ડ કેસમાં દાખલ કરાયેલી ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાનો ઈનકાર કર્યો. આ ચુકાદાએ કોંગ્રેસના નેતાઓ સામે મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા ખોટા આરોપો, રાજકીય કાવતરાં અને બદલો લેવાની નીતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
અદાલતે સ્પષ્ટ કર્યું કે કેસમાં કાયદાકીય મજબૂતીનો અભાવ છે અને આધારભૂત તથ્યો પૂરતા નથી. આ નિર્ણયથી સ્પષ્ટ થયું કે કાયદાની પ્રક્રિયાનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે કરવો યોગ્ય નથી.
ભાજપ સરકાર માટે પડકાર
આ ચુકાદા સાથે ભાજપ સરકારની રાજકીય નીતિ અને આરોપોની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વિરોધ પક્ષોને દબાવવાની નીતિ લાંબા ગાળે લોકશાહી માટે નુકસાનકારક સાબિત થાય છે.
જનતા હવે પ્રશ્ન પુછે છે કે શું તપાસ એજન્સીઓનો ઉપયોગ રાજકીય હિતો માટે થઈ રહ્યો છે? શું ન્યાયની પ્રક્રિયાને બદલે બદલા લેવામાં આવી રહ્યા છે?
આ પણ વાંચોમોદી ટ્રમ્પથી ડરતા નથી અમેરિકન ગાયિકાનો રાહુલ ગાંધી પર કટાક્ષ
આ પણ વાંચો:રાહુલ ગાંધી આજે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે, ભાજપે ઉઠાવ્યા આકરા સવાલો

