શ્રીનગર,
આજે દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ધૂમ છે ત્યારે પાકિસ્તાનની ધરતી પરથી આવેલા આતંકીઓ પોતાની નાપાક હરક્તોમાંથી બહાર આવી રહ્યા નથી. શનિવાર રિપબ્લિક ડે પર કાશ્મીર ઘાટીમાં આતંકીઓએ CRPF કેમ્પ પર હુમલો બોલ્યો હતો, જેમાં પાંચ જવાનો ઘાયલ થયા છે.
આતંકીઓ દ્વારા આતંકીઓ દ્વારા પુલવામાંના પંપોર અને ખાનમોમાં બે હુમલા કર્યા હતા અને તેઓએ SOG અને CRPF કેમ્પને નિશાન બનાવ્યા છે, જેમાં સુરક્ષાબળોના જવાનો દ્વારા કરાયેલી જવાબી કાર્યવાહીમાં ૨ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
બતાવવામાં આવી રહ્યું છે કે, આ આતંકીઓની સંખ્યામાં ૩ થી ૪ બતાવવામાં આવી રહી હતી અને તેઓ આતંકી સંગઠન જૈશ – એ- મોહમ્મદના હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ગણતંત્ર દિવસ પર કોઈ મોટા આતંકી હુમલાની તૈયારીમાં હતા.
આ પહેલા ગુરુવારે પાકિસ્તાન દ્વારા પૂંછ, રાજૌરી સેક્ટર અને સુંદરબની સેક્ટર સહિત લાઈન ઓફ કંટ્રોલ (LOC)ના ચાર સ્થાનો પર સીઝફાયરનું ઉલ્લંધન કર્યું હતું.