જેનપેક્ટ કંપનીના એક સીનીયર એક્ઝીક્યુટીવે કથિત રૂપમાં પોતાના પર લાગેલા આરોપને લીધે આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરતા પહેલા તેણે એક સ્યુસાઈડ નોટ પણ લખી છે.
૩૫ વર્ષીય સ્વરૂપ રાજ નોએડા સેક્ટર ૧૩૭માં રહેતો હતો. બે વર્ષ પહેલા જ સ્વરૂપના લગ્ન થયા હતા. સ્વરૂપ મૂળ હરિયાણાનો રહેવાસી હતો.
જેનપેક્ટમાં તે છેલ્લા ઘણા સમયથી નોકરી કરતો હતો તેને પ્રોમોશન પણ મળ્યું હતું પરંતુ જાતીય સતામણીના આરોપને લીધે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
સ્યુસાઇડ નોટમાં સ્વરૂપે લખ્યું છે કે તેની વિરુદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપ ખોટા છે. તેમ છતાં જો તેને નિર્દોષ જાહેર કરવામાં આવશે તો પણ તેની છબી તો ખરાબ થઇ જ ગઈ છે. મારા પત્નીના સમ્માન માટે હું આત્મહત્યા કરી રહ્યો છુ.