નવી દિલ્હી,
૧૫મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એકવાર લાલ કિલ્લાના પ્રાંગણમાં દેશનો રાષ્ટ્ર્દવ્જ ફરકાવશે અને દેશવાસીઓને સંબોધિત કરશે. આ અવસર પર દેશના લોકોને સંબોધિત કરતા પીએમ મોદી અનેક મોટી ઘોષણાઓ કરી શકે છે, એમાં ૩૨ કરોડથી વધુ જ્નધન ખાતાધારકો માટે પણ મોટી ઘોષણા થઇ શકે છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સ્વતંત્રતા દિવસ નિમિત્તે પીએમ મોદી જ્નધન યોજનાના ખાતાધારકો માટે ઓવરડ્રાફ્ટની સુવિધા બે ગણી કરીને ૧૦,૦૦૦ રૂપિયા કરી શકે છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ સરકાર નાણાકીય સમાવેશ અભિયાનને મજબૂતી પ્રદાન કરવાનો છે.
આ સરકારનો એ લોકો માટે કોષ ઉપલબ્ધ કરવાનો પ્રયાસ છે, જેમાં દેશના લોકો આ અંગે વંચિત છે. આ ઉપરાંત સરકાર આકર્ષક સુક્ષ્મ વીમાની પણ ઘોષણા કરી શકે છે તેમજ રૂપે કાર્ડધારકો માટે મફતમાં દુર્ઘટના વીમો એક લાખ રૂપિયા સુધી વધારવામાં આવી શકે છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પ્રધાનમંત્રી જ્નધન યોજના (પીએમજેડીવાઈ)નું બીજું ચરણ ૧૫ ઓગષ્ટના રોજ સમાપ્ત થઇ રહ્યું છે અને હવે આગળના લક્ષ્યને હાંસલ કરવા માટે આ યોજનામાં સુધારો કરવાની જરૂરત છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રધાનમંત્રીનું સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભાષણ આ પ્રકારની યોજનાઈ ઘોષણા માટે એક સારો મંચ છે.
જનધન યોજનાનું પ્રથમ ચરણ ૧૪ ઓગષ્ટ,૨૦૧૫ના રોજ પૂર્ણ થયું હતું અને એમાં મુખ્ય બેંક ખાતાઓ અને રૂપે કાર્ડ પર જોર આપવામાં આવ્યું હતું. છેલ્લા ચાર વર્ષમાં ૩૨.૨૫ કરોડ જનધનના ખાતા ખુલ્ય હતા. આ ખાતાઓમાં ૮૦,૬૭૪.૨૦ કરોડ રૂપિયા જમા છે.
આ ઉપરાંત સરકાર ૨૦૧૫-૧૬માં ઘોષિત કરાયેલી અટલ પેન્શન યોજના હેઠળ મળતી પેન્શનની મહત્તમ સીમા વધારીને ૧૦,૦૦૦ રૂપિયા માસિક કરી શકે છે. જો કે હાલમાં આ સીમા ૫૦૦૦ રૂપિયા છે. મહત્વનું છે કે, એટલ પેન્શન યોજના હેઠળ ૬૦ વર્ષ પૂર્ણ થયા બાદ વ્યક્તિને ૧૦૦૦ રૂપિયાથી લઇ ૫૦૦૦ રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે.