પ્રયાગરાજ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની પૂર્વતૈયારીઓ રૂપે ઉત્તરપ્રદેશ પહોચ્યા છે. સૌપ્રથમ તેઓ UPAના ચેરપર્સન સોનિયા ગાંધીના ગઢ માનતા રાયબરેલી પહોચ્યા હતા અને ત્યાં એક જાહેરસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
જો કે ત્યારબાદ પીએમ મોદી પ્રયાગરાજ પહોંચી ગયા છે. આ દરમિયાન તેઓએ આગામી વર્ષે યોજાનારા કુંભ મેળાને લઈ કમાંડ અને કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું.
ત્યારબાદ તેઓ રાજ્યપાલ રામ નાઈક અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સંગમ તટ પર ગંગા પૂજા પણ શામેલ થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મિશન ૨૦૧૯ને લઈ પ્રયાગરાજ પહોચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભાની ચૂંટણીને લઈ સંદેશો પણ આપશે. આ ઉપરાંત તેઓ રવિવારે ૩ હજાર કરોડ રૂપિયાના થઇ ચકેલાકાર્યોનું ઉદ્ઘાટન કરશે, જેમાં ૩૦૦ સિવિલ એરપોર્ટ ટર્મિનલ અને ૭ ફ્લાઈઓવર મુખ્ય છે.