Not Set/ લખનઉના સરનામાં પર ન રહેતી હતી તન્વી શેઠ, તપાસમાં થયેલા ખુલાસા બાદ રદ્દ થઇ શકે છે પાસપોર્ટ !

લખનઉ, ઉત્તરપ્રદેશના લખનઉમાં એક મુસ્લિમ-હિંદુ દંપતીને પાસપોર્ટ રિન્યુઅલ મામલે ચાલી રહેલા વિવાદને લઇ મહત્વનો ખુલાસો થયો છે. મોહમ્મદ અનસ સિદ્દીકીની  પત્ની તન્વી શેઠના પાસપોર્ટ વિવાદની તપાસ કરવા માટે લખનઉ પહોચેલી લોકલ ઇન્ટેલિજન્સ ટીમે (LIU) આ ખુલાસો કર્યો છે. આ ઇન્ટેલિજન્સ ટીમ દ્વારા જણાવવામાં આવ્યું કે, તન્વી શેઠ પાસપોર્ટ માટે લખનઉના જે સરનામાં માટે દસ્તાવેજ આપ્યા હતા, તે છેલ્લા […]

Top Stories India
index 6 લખનઉના સરનામાં પર ન રહેતી હતી તન્વી શેઠ, તપાસમાં થયેલા ખુલાસા બાદ રદ્દ થઇ શકે છે પાસપોર્ટ !

લખનઉ,

ઉત્તરપ્રદેશના લખનઉમાં એક મુસ્લિમ-હિંદુ દંપતીને પાસપોર્ટ રિન્યુઅલ મામલે ચાલી રહેલા વિવાદને લઇ મહત્વનો ખુલાસો થયો છે. મોહમ્મદ અનસ સિદ્દીકીની  પત્ની તન્વી શેઠના પાસપોર્ટ વિવાદની તપાસ કરવા માટે લખનઉ પહોચેલી લોકલ ઇન્ટેલિજન્સ ટીમે (LIU) આ ખુલાસો કર્યો છે.

આ ઇન્ટેલિજન્સ ટીમ દ્વારા જણાવવામાં આવ્યું કે, તન્વી શેઠ પાસપોર્ટ માટે લખનઉના જે સરનામાં માટે દસ્તાવેજ આપ્યા હતા, તે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી રહ્યા નથી. નોધનીય છે કે, આ મામલે તપાસ કરી રહેલી LIUની ટીમ વેરિફિકેશન માટે લખનઉ સ્થિત તન્વી શેઠના સાસરીમાં પહોચી હતી.

લખનઉ બાદ લોકલ ઇન્ટેલિજન્સ ટીમ તન્વી શેઠના નોઇડા સ્થિત ઘર ખાતે પણ વેરિફિકેશન માટે જવાની છે. પોલીસના સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર, પાસપોર્ટ માટે તન્વી દ્વારા પાસપોર્ટમાં જે ખોટી જાણકરી આપી છે, કારણ કે લખનઉ સ્થિત મકાન ખાતે લાંબા સમય સુધી રહી જ નથી. ત્યારે હવે તપાસ દરમિયાન તન્વી ખોટી જાણકારી આપવાના મામલે આરોપ સાબિત થાય છે ત્યારે તેઓનો પાસપોર્ટ રદ્દ પણ થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ દંપતીને પાસપોર્ટ અપાયા બાદ પાસપોર્ટ વિભાગના અધિકારી વિકાસ મિશ્રાએ પોતાના પર લાગેલા આરોપોને ફગાવતા કહ્યું, “જે પણ થઇ રહ્યું છે તે ખોટું છે. અમે ધર્મ સાથે કોઈ મતલબ નથી, અમારા દ્વારા પાસપોર્ટ મેન્યુઅલ પ્રમાણે જ નિર્ણય લેવામાં આવે છે.

આરોપી અધિકારીએ વધુમાં જણાવ્યું,  અરજી કરનાર નિવેદક નોઇડાની રહેવાસી હતી, જેથી તેઓએ ગાઝિયાબાદમાં એપ્લાઇ કરવું જરૂરી હતું. પરંતુ આ તથ્યને છુપાવવામાં આવ્યું અને લખનઉની જાણકારી આપીને પાસપોર્ટ માટે આવેદન આપ્યું હતું જે ખોટું છે. તેઓએ ખોટી જાણકારી આપી હતી”.

શું હતો આ મામલો ?

મોહમ્મદ અનસ સિદ્દીકી અને તેઓની પત્ની તન્વી શેઠે ૨૦૦૭માં લગ્ન કર્યા હતા અને તેઓએ લખનઉમાં પાસપોર્ટ માટે આવેદન કર્યું હતું.

હકીકતમાં તન્વી અને અનસ નામની હિંદુ-મુસ્લિમ દંપતીને પાસપોર્ટ રિન્યુઅલ મામલે પાસપોર્ટ ઓફિસમાં એક ઓફિસરે તેઓને ધર્મના નામ પર અપમાનિત કર્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. આ ઓફિસર દ્વારા આ દંપતીની અરજી ફગાવવામાં આવી અને તેને હોલ્ડ પર રાખવામાં આવ્યો હતો.

ત્યારબાદ આ મામલે દંપતી દ્વારા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને હાકલ કરવામાં આવી હતી અને દંપતીને પાસપોર્ટ આપવામાં આવ્યો છે, જયારે આ પાસપોર્ટ અધિકારીની બદલી પણ કરવામાં આવી હતી.