વડોદરા,
વડોદરાની નવી કોર્ટ બિલ્ડીંગની વ્યવસ્થામાં કોર્ટની બેદરકારી સામે આવી છે. કોર્ટની કાર્યવાહી દરમ્યાન અરવીંદ વસાવા નામના પક્ષકારને હુમલો આવતા એમ્બ્યુલન્સ બોલાવામાં આવી હતી પરંતુ એમ્બ્યુલનસ કોર્ટના પગથીયા સુધી ન પહોંચતા અરવીંદ વસાવાનું મોત થયુ હતુ.
સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે કોર્ટના મેઇન દરવાજા પાસે બેરીકેટ લગાવામા આવ્યા હતા. જેને કારણે અરવીંદ વસાવા સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી. અરવીંદ ભાઇને ચાદરની ઝોળીમાં એમ્બ્યુલન્સમાં પહોંચાડવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનિય છે કે વડોદરાની નવી કોર્ટ એશિયાની સૌથી મોટી બિલ્ડીંગ છે. જેમાં એમ્બ્યુલન્સ કોર્ટના દરવાજા સુધી ન પહોંચતા હદય હુમલાથી જવાહર નગરમાં પોલીસ કોન્સ્ટેબલમાં ફરજ બજાવતા પક્ષકાર અરવીંદ વસાવાનુ મોત થયુ હતુ.