ગાંધીનગર
પીપાવાવના કોળી સમાજ દ્વારા છેલ્લા કેટલાંય સમયથી જમીન મુક્તિના પ્રશ્નોને લઈ આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોળી સમાજના આગેવાનો દ્વારા ગાંધીનગરના સર્કીટ હાઉસમાં બેઠક યોજવામાં આવી હતી.
છેલ્લા કેટલાંય દિવસથી ચાલી રહેલા આંદોલનને સરકારે ગંભીરતાથી ન લેતા કોળી સમાજના યુવાનો ગાંધીનગરમાં એકઠા થયા હતા અને જલ્દી તેમના પ્રશ્નોનો ઉકેલ નહિં આવે તો સરકાર સામે પણ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
મહત્વનું છે કે પીપાવાવમાં ગામની જમીનો પર રાજકીય વગ ધરાવતાઓ લોકોએ લીઝ વગર ગેરકાયદે કબ્જે કર્યો છે જેથી ગામના લોકોને રોજીરોટી માટે વલખા મારવા પડી રહ્યા છે જેને લઈ છેલ્લાં કેટલાંય સમયથી રજૂઆત કરવામાં આવી રહી હતી.