Gujarat News : ભારતીય નૌકાદળે સોમાલિયન ચાંચિયાઓ દ્વારા હાઈજેક કરાયેલા કાર્ગો જહાજમાંથી 35 ચાંચીયાઓની દરપકડ કરવામાં આવી હતી. 40 કલાકના ઓપરેશન બાદ નેવીએ એમવી રીએન જહાજને બચાવી લીધું હતું અને ચાંચીયાઓ સાથે મુંબઈ પહોંચી ગયું હતું. આ જહાજમાં 17 ક્રુ મેમ્બર્સ સાથે અંદાજે 10 લાખનો કાર્ગો હતો.
14 ડિસેમ્બર 2023 ના રોજ કાર્ગો શીપ એમવી એનને સોમાલીયા ચાંચીયાઓએ હાઈજેક કર્યું હતું. તેનું અપહરણ કરાયું ત્યારે જહાજ ભારતીય દરિયા કિનારાથી અંદાજે 1,400 નોટીકલ માઈલ (2,600 કિ.મી) દૂર હતું. આ જહાજ બલ્ગેરીયા, મંગોલીયા અને મ્યાનમારના 17 ક્રુ તેમજ 37,800 ટન કાર્ગો સાથે મુસાફરી કરી રહ્યું હતું. આ કાર્ગોની કિંમત અંદાજે 10 લાખ ડોલર હોવાનું કહેવાય છે.
અપહરણની માહિતી મળતા જ ભારતીય નૌકાદળે કામગીરી સરૂ કરી હતી. જેમાં કોલકાતા-ક્લાસના સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ વિનાશકનું મુખ્ય જહાજ આઈએનએસ કોલકાતાનો સમાવેશ થાય છે. લગભગ 40 કલાક ચાલેલા આ ઓપરેશન બાદ ચાંચીયાઓને પકડીને મુંબઈ લઈ જવાયા હતા. બાદમાં જહાજમાં સર્ચ ઓપરેશન હાથ ધરાતા તેમાંથી શસ્ત્રો, ડ્રગ્સ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓનો જથ્થો મળી આવ્યો હતો. આ ચાંચીયાઓને આગળની કાર્યવાહી માટે મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા
આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર
આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી