દક્ષિણની અભિનેત્રી નયનતારા અને જયની ફિલ્મ ‘અન્નપૂર્ણિ’ તાજેતરમાં OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થઈ છે. પરંતુ આ ફિલ્મને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. શિવસેનાના પૂર્વ નેતા રમેશ સોલંકીએ નયનતારાની ફિલ્મ ‘અન્નપૂર્ણિ’ના નિર્માતાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસમાં ફરિયાદ નોંધાવતી વખતે તેમણે આરોપ લગાવ્યો છે કે આ ફિલ્મમાં હિન્દુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. નિર્માતાઓએ ભગવાન રામનું અપમાન કર્યું છે. આ સાથે રમેશ સોલંકીએ એક્સ હેન્ડલ પર દાવો કર્યો છે કે નયનતારાની ફિલ્મ ‘અન્નપૂર્ણિ’ લવ જેહાદને પ્રોત્સાહન આપી રહી છે.
‘અન્નપૂર્ણિ’ના મેકર્સ અને સ્ટારકાસ્ટ સામે FIR નોંધાઈ
આ આક્ષેપો કરતાં રમેશ સોલંકીએ મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને વિનંતી કરી છે કે તેઓ ફિલ્મની અભિનેત્રી નયનતારા અને તમામ સ્ટાર કાસ્ટ સામે કેસ દાખલ કરીને કડક કાર્યવાહી કરે. જે બાદ ‘અન્નપૂર્ણિ’ના નિર્માતા અને દિગ્દર્શકો તેમજ અભિનેત્રી નયનતારા સહિત સમગ્ર સ્ટારકાસ્ટ વિરુદ્ધ મુંબઈ અને મધ્યપ્રદેશના જબલપુરમાં FIR નોંધવામાં આવી છે. રમેશ સોલંકીએ તેમની ફરિયાદની એક નકલ પણ શેર કરી છે અને તેમાં નેટફ્લિક્સ અને ઝી સ્ટુડિયોને ટેગ કર્યા છે અને કહ્યું છે કે તેઓએ જાણીજોઈને પ્રાણ પ્રતિષ્ઠા આસપાસ આ ફિલ્મ બનાવી છે અને હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચાડી છે.
‘અન્નપૂર્ણિ’માં નયનતારાએ શેફની ભૂમિકા ભજવી છે.
જણાવી દઈએ કે ‘અન્નપૂર્ણિ: ધ ગોડેસ ઓફ ફૂડ’ એક તમિલ ફિલ્મ છે, જેમાં નયનતારાની સાથે અભિનેતા જય અને સત્યરાજ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મમાં નયનતારાએ શેફની ભૂમિકા ભજવી છે જે શેફ બનવાનું સપનું જુએ છે. જો કે, તે પોતાનું સપનું પૂરું કરી શકે તે પહેલા તેને ઘણી અવરોધોનો સામનો કરવો પડે છે અને તેને દૂર કરવી પડે છે. ‘અન્નપૂર્ણિ” જતીન સેઠી અને આર રવિેન્દ્રન દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે, તેમાં જય, સત્યરાજ, રેડિન કિંગ્સલે, સુરેશ ચક્રવર્તી, રેણુકા અને કેએસ રવિકુમાર પણ છે. થમન એસ એ આ ફિલ્મનું સંગીત આપ્યું છે.
આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ
આ પણ વાંચો:ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ અંગે કલેકટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોના ઘરે ઉજવણીનો માહોલ, ફોડ્યા ફટાકડા