- રેશમા પટેલનું ભાજપ સરકાર પર નિશાન
- પાટીદાર અનામત આંદોલનને લઈને વાર
- આંદોલનકારીઓને હેરાન કરે છે ભાજપ-રેશમા
- એક્તા તોડવામાં ભાજપ સફળ રહ્યું-રેશમા
- હાર્દિક પટેલ કેટલાય દિવસોથી ગુમ-રેશમા
પાટીદાર અનામત આંદોલનને યાદ કરતા NCP નેતા રેશમા પટેલે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. આંદોલનકારીઓ ઉપર કાયદાકીય દાવપેચ કરીને ભાજપ રાજકીય ષડયંત્ર કરી રહ્યું હોવાના આક્ષેપ રેશમા પટેલે કર્યા છે. સાથે જ હાર્દિક પટેલ કેટલાય દિવસોથી ગુમ છે તેની ચિંતા પણ રેશમા પટેલે કરી હતી.
સરકારને હું ખુબજ સભાનતા અને ઉગ્રતાથી કહેવા માંગુ છું કે 2015 માં કરવામાં આવેલ પાટીદાર અનામત આંદોલનનાં કેસમાં આંદોલનકારીઓ ઉપર કાનૂની દાવપેચ કરી જે રાજકીય ષડયંત્રો આદર્યા છે એ બંધ કરો. હાર્દિક પટેલ કેટલાય દિવસોથી ગુમ છે અને કોઇને પણ કશુંજ ખબર નથી કે ક્યા છે. તેમજ અનેક આંદોલનકારીઓ ને કોર્ટની તારીખો ભરવી પડે છે. આ બધું બીજેપી સરકાર દ્વારા આદરેલ રાજકીય કાવાદાવા છે.
સરકારને એમ હોય કે અમારી એકતા તોડવામાં સફળ થયા અને હવે તમે આંદોલનકારીઓ ને હેરાન કરશો અને અમે ચુપ બેસીશું એમ ? તો કાન ખોલીને સાંભળી લો તમારા આવા તાયફાઓ અને રાજકીય ષડયંત્રો સામે ગુજરાતના દરેક આંદોલનકારી લડવા સક્ષમ છે અને સમાજ, રાષ્ટ્રના પક્ષમાં એક થઈ સરકારને પડકાર ફેંકી ધ્રુજાવતા આજ પણ આવડે છે. એટલે હાર્દિક પટેલ અને બીજા આંદોલનકારીઓ ને હેરાન કરવાનું બંધ કરો બાકી માઠા પરીણામ ભોગવવા પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.