New Delhi: લોકસભાની ચૂંટણી 2024ના પરિણામ જાહેર થઈ ગયા છે. ઈન્ડિયા ગઠબંધનને અંદાજે 234 અને એનડીએ ગઠબંધનને 291 બેઠકો મળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં આજે તેમના નિવાસસ્થાને સાંજે 6 વાગ્યે ઈન્ડિયા જનબંધનની બેઠક મળશે. ટોચના નેતાઓને દિલ્હીમાં રહેવાનું કહેવામાં આવ્યું છે, તેમજ આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે. તો બીજી બાજુ ભાજપ NDAના સાથી પક્ષો સાથે વાતચીત કર્યા પછી સંસદીય બેઠક મળશે. તમામ સાથી પક્ષોને તાબડતોબ દિલ્હી બોલાવવામાં આવ્યા છે.
બહુમત મેળવી સરકાર રચવાની બેઠક, શપથ વિધિ, સોગંધ વિધિ કરવાની તારીખ નક્કી કરવામાં આવશે. સંસદીય બોર્ડના તમામ નિર્ણયો શિરોમાન્ય રહેશે.
આ પણ વાંચો: આઝમગઢમાં ભાજપના નિરહુઆ દિનેશ લાલ યાદવ અટક્યા, સપાના ધર્મેન્દ્ર યાદવ 9 હજાર મતોની લીડ પર
આ પણ વાંચો: યોગેન્દ્ર યાદવની ભવિષ્યવાણી લગભગ સાચી! વલણોમાં NDA અને I.N.D.I.A.ની શું છે સ્થિતિ?
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા પબ્લિક પાર્કમાં શા માટે પ્રેક્ટિસ કરી રહી છે? રાહુલ દ્રવિડના નિવેદનથી થયું સ્પષ્ટ