Karnataka/ કર્ણાટકમાં શ્રદ્ધા વોકર જેવો ભયાનક કેસ, પુત્રએ ગુસ્સે થઈને પિતાના કર્યાં 32 ટુકડા

કર્ણાટકના બાગલકોટમાં એક વ્યક્તિએ તેના પિતાને લોખંડના સળિયા વડે હત્યા કરી અને તેના શરીરના 32 ટુકડા કરી નાખ્યા. ત્યારપછી તેણે ટુકડાઓ ખુલ્લા બોરવેલમાં ફેંકી દીધા…

Top Stories India
A horrible case in Karnataka

A horrible case in Karnataka: કર્ણાટકમાં શ્રદ્ધા વોકર મર્ડર કેસ જેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કર્ણાટકના બાગલકોટમાં એક વ્યક્તિએ તેના પિતાને લોખંડના સળિયા વડે હત્યા કરી અને તેના શરીરના 32 ટુકડા કરી નાખ્યા. ત્યારપછી તેણે ટુકડાઓ ખુલ્લા બોરવેલમાં ફેંકી દીધા. બોરવેલમાંથી શરીરના અંગો મળી આવતાં હત્યાનો ખુલાસો થયો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

કર્ણાટક પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર આરોપી વિઠ્ઠલા કુલાલીએ તેના પિતા પરશુરામ કુલાલી (53)ની ગુસ્સામાં લોખંડના સળિયા વડે હત્યા કરી હતી. આ ઘટના 6 ડિસેમ્બરે કર્ણાટકના બાગલકોટમાં બની હતી. હત્યા કર્યા પછી પણ જ્યારે 28 વર્ષીય આરોપીને ગુસ્સો આવ્યો તો તેણે તેના પિતાના મૃતદેહના 32 ટુકડા કરી નાખ્યા અને તે ટુકડા ખુલ્લા બોરવેલમાં ફેંકી દીધા. પોલીસના જણાવ્યા અનુસાર, પરશુરામ દારૂના નશામાં તેના બે પુત્રોમાં નાના વિઠ્ઠલા સાથે અવારનવાર દુર્વ્યવહાર કરતો હતો. પરશુરામની પત્ની અને મોટો પુત્ર અલગ રહે છે. ગત મંગળવારે વિઠ્ઠલા તેના પિતાને અપશબ્દો બોલતા સાંભળીને ગુસ્સે થઈ ગયો હતો. તેણે લોખંડનો સળિયો ઉપાડીને મારી નાખ્યા. આરોપીની ધરપકડ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: India China Tawang/ચીનનો દાવ અવળો પડ્યોઃ ભારતીય લશ્કર ચીનને ખદેડતા-ખદેડતા ચીનની ચોકી પાસે પહોંચી ગયું