Nepal School Flood Rescue: નેપાળમાં ભયાનક ફ્લેશ ફ્લડ વચ્ચે નુવાકોટ જિલ્લાના એક સ્કૂલ પ્રિન્સિપાલે એવી સમજદારીભરી કામગીરી કરી, જેના કારણે શાળામાં હાજર 1,643 બાળકો સુરક્ષિત બચી ગયા. પૂરનું પાણી અને કાટમાળ સ્કૂલ તરફ આગળ વધી રહ્યું હોવાની જાણ થતાં પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડીએ એક ક્ષણ પણ બગાડ્યા વગર આખી શાળા ખાલી કરાવવાનો નિર્ણય લીધો.
મિત્રના ફોનથી મળી ખતરાની જાણકારી
બુધવારની સવારે રાજેન્દ્ર દવાડીને તેમના એક મિત્રનો ફોન આવ્યો હતો. મિત્રએ નદીમાં આવેલા ભયાનક પૂર(Nepal) વિશે માહિતી આપી અને તાત્કાલિક સુરક્ષિત સ્થળે જવાની સલાહ આપી. શરૂઆતમાં દવાડીને લાગ્યું કે શાળાની ત્રણ માળની મજબૂત ઇમારત સુરક્ષિત છે. જોકે, પરિસ્થિતિ ઝડપથી બદલાતી જોઈ તેમણે બાળકોને જોખમમાં ન રાખવાનો નિર્ણય લીધો. તેમણે તરત જ શાળાની ઘંટડી વગાડાવી અને શિક્ષકોને તમામ વર્ગખંડ ખાલી કરાવવાનો આદેશ આપ્યો. બસ ડ્રાઇવરોને પણ વાહનો પાછા ફેરવવા સૂચના આપવામાં આવી. ત્યારબાદ બાળકોને પગપાળા ઊંચાઈવાળા સુરક્ષિત વિસ્તારમાં મોકલવામાં આવ્યા.
પ્રિન્સિપાલ સૌથી છેલ્લે બહાર નીકળ્યા
બાળકોને બહાર કાઢતી વખતે દવાડી પોતે સૌથી પાછળ રહ્યા, જેથી કોઈ વિદ્યાર્થી રસ્તામાં રહી ન જાય. થોડા જ સમયમાં તમામ બાળકો સુરક્ષિત ઊંચાઈ પર પહોંચી ગયા. એક વિદ્યાર્થીની ગભરાઈ જતા તેને પણ તાત્કાલિક સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી. બાળકો સલામત સ્થળે પહોંચ્યા બાદ જ Nepalમાં પૂરના પાણીનો જોરદાર પ્રવાહ શાળા સુધી પહોંચ્યો અને આખી ઇમારતને પોતાની સાથે વહાવી ગયો. જ્યાં થોડા સમય પહેલાં બાળકો ભણતા હતા, ત્યાં બાદમાં માત્ર કાદવ અને કાટમાળ જોવા મળ્યો.
બે કર્મચારીઓના થયા મોત
આ ઘટનામાં શાળાના બે કર્મચારીઓ જીવ ગુમાવી બેઠા. એક શિક્ષક પોતાના રહેઠાણ તરફ ગયા હતા, જ્યારે શાળાના ચોકીદાર પણ જરૂરી કામ માટે પરત ફર્યા હતા અને પૂરના (Nepal) પ્રવાહમાં તણાઈ ગયા.
ચંદ મિનિટનો નિર્ણય બન્યો જીવનરક્ષક
બાળકોને બચાવ્યા બાદ લોકો પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડીને હીરો માની રહ્યા છે. જોકે તેઓ આ ઘટનાને કોઈ અસાધારણ કામ ગણાવતા નથી. તેમના માટે તે સમયે એક જ બાબત મહત્વની હતી—બાળકોને શક્ય તેટલી ઝડપથી સુરક્ષિત સ્થળે પહોંચાડવા. આ ઘટના સાબિત કરે છે કે કુદરતી આપત્તિ દરમિયાન સમયસર મળેલી ચેતવણીને ગંભીરતાથી લેવી અને ઝડપથી યોગ્ય નિર્ણય લેવો કેટલો મહત્વપૂર્ણ બની શકે છે. જો દવાડીએ થોડી પણ વાર કરી હોત, તો પરિણામ અત્યંત ભયાનક બની શક્યું હોત.
આ પણ વાંચો: નેપાળમાં પૂર બાદ નવી આફતનો ખતરો, ચીને કહ્યું: ક્યારે પણ તૂટી શકે છે ખતરનાક ઝરણું
આ પણ વાંચો: સિંધુ જળ સંધિ પર ભારત અડગ, પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય અપીલથી વધી ગરમાવો
આ પણ વાંચો: તિબેટમાં પૂરથી તબાહી; લાખો લોકો લાપતા છતાં ચીને દુનિયાથી છુપાવ્યા મોત અને નુકસાનના આંકડા
