israel hamas war/ ઈઝરાયેલમાં રહેતા હિન્દુસ્તાનીઓ માટે ભારત સરકારે જારી કરી એડવાઈઝરી, જાણો શું કહ્યું!

પેલેસ્ટાઈન સંગઠન હમાસે શનિવારે સવારે ઈઝરાયેલના ત્રણ શહેરો પર મોટો રોકેટ હુમલા કર્યા હતા.

Top Stories World

પેલેસ્ટાઈન સંગઠન હમાસે શનિવારે સવારે ઈઝરાયેલના ત્રણ શહેરો પર મોટો રોકેટ હુમલા કર્યા હતા. હુમલા બાદ દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. દરમિયાન ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને દાવો કર્યો છે કે ઈઝરાયેલ જીતશે.

આ સાથે ઈઝરાયેલમાં યુદ્ધની સ્થિતિને જોતા ભારતે પોતાના નાગરિકો માટે મહત્વપૂર્ણ એડવાઈઝરી જારી કરી છે. આમાં ઇઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકોને એલર્ટ રહેવા અને સ્થાનિક અધિકારીઓની સલાહ મુજબ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. સાવચેતી રાખવાની અને બિનજરૂરી હિલચાલ ટાળવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે લોકોને સલામત સ્થળે રહેવા માટે કહેવામાં આવ્યું છે. કટોકટીના કિસ્સામાં, હેલ્પલાઇન નંબર +97235226748 અને [email protected] પર સંપર્ક કરો. સંદેશ મોકલવા અપીલ કરી હતી.

ગિલોને સોશિયલ મીડિયા ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું, ‘યહૂદી રજાના દિવસે ગાઝાથી ઈઝરાયેલ પર સંયુક્ત હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો રોકેટ દ્વારા કરવામાં આવ્યો હતો અને હમાસના આતંકવાદીઓ ઘૂસી ગયા છે. આ સંજોગો સામાન્ય નથી, પરંતુ ઈઝરાયેલ વિજેતા બનશે.

ઉલ્લેખનિય છે કે, ગાઝાથી ઈઝરાયેલ તરફ અનેક રોકેટ છોડ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. હમાસે સૈન્ય કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત કરી હતી, જ્યારે ઇઝરાયેલની સેનાએ પણ કહ્યું હતું કે તે યુદ્ધ માટે તૈયાર છે. સેનાએ તેના સૈનિકો માટે ‘રેડીનેસ ફોર વોર’નું એલર્ટ જાહેર કર્યું છે.

ઈઝરાયેલ હમાસને આતંકવાદી સંગઠન કહે છે, તેથી શનિવારે થયેલા હુમલાને ઈઝરાયેલ દ્વારા આતંકવાદી હુમલો ગણાવ્યો છે.નોધનીય છે કે, ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે જેનિન શહેરમાં 2 દિવસ સુધી ચાલેલા ઓપરેશનમાં લગભગ 12 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. એક ઈઝરાયેલ સૈનિક પણ માર્યો ગયો હતો.



આ પણ વાંચો: ASIAN GAMES/ ભારત ફરી કબડ્ડી કિંગ બન્યું, ભારે વિવાદ બાદ ઈરાનને હરાવીને ગોલ્ડ જીત્યો

આ પણ વાંચો: ASIAN GAMES/ બેડમિન્ટનમાં ભારતે પ્રથમ વખત ગોલ્ડ જીત્યો, સાત્વિક-ચિરાગે રચ્યો ઈતિહાસ

આ પણ વાંચો: Tata Group/ એર ઈન્ડિયાએ ખાસ ટેકનોલોજીથી સજ્જ વિમાનની ઝલક બતાવી!