જો તમને ડાયાબિટીઝ છે, તમે તમારા ગ્લુકોઝના સ્તરને જાળવી રાખવા માટે બ્લડ સુગરને અસરકારક રીતે ટેસ્ટ કરતા શીખો. જે લોકો ડાયાબિટીઝની દવા લેતા નથી, જો તેઓ બ્લડ સુગરની નિયમિત તપાસ કરે તો તેમની ડાયાબિટીસ હંમેશા નિયંત્રણમાં રહે છે.
બ્લડ સુગર પરીક્ષણ માટે બજારમાં ઘણા પ્રકારના અદ્યતન ગ્લુકોમીટર ઉપલબ્ધ છે. પરંતુ હજી પણ લોકો તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી અથવા તેમા થોડીક ભૂલ કરે છે, જેનાથી તેમના રિડીંગમાં મોટો તફાવત પડે છે. તમારા રીડિંગ ખોટું ન થાય તે માટે, તમારે આ 5 બાબતો પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે..
જો તમને તરસ લાગે છે અને શરીરમાં પાણીનો અભાવ છે, તો તે તમારા રીડિંગને અસર કરી શકે છે.
આયર્નની કમીને દૂર કરે છે અડદની દાળ, આ રીતે ખાશો તો મળશે કમાલનો ફાયદો
મોટેભાગે, લોકો લોહીમાં સુગરની તપાસ અડધા કલાક અથવા ભોજન કર્યાના એક કલાક પછી કરે છે, જે એકદમ ઝડપી માનવામાં આવે છે. જમ્યા પછી કે નાસ્તા પછી તુરંત જ પરીક્ષણ કરવાથી તમારું સુગર લેવલ હંમેશા વધશે. જો તમે યોગ્ય પરિણામ મેળવવા માંગતા હોય તો તેને ભોજન પહેલાં તપાસ કરો. અથવા ખાધા પછી બે કલાકની રાહ જુઓ.
તપાસ કરતાં પહેલાં હાથ ધોયા ન હોય તો..
સ્વચ્છતા જાળવવી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી તમારું રીડિંગ ખોટું થઈ શકે છે. જો તમે પરીક્ષણ લેતા પહેલા કંઇક ખાધું કે પીધું હોય અને તેનો પદાર્થ તમારા હાથમાં હોય, તો તે તમારા પરીક્ષણના પરિણામને ખૂબ અસર કરી શકે છે.
એક જ સોયનો વારંવાર ઉપયોગ કરવાથી….
એવું જોવા મળ્યું છે કે ઘણા દર્દીઓ એક જ સોયનો ઉપયોગ પાંચથી છ વખત કરે છે અથવા લાંબા સમય સુધી તેને બદલવાનું ટાળે છે. તેનાથી ચેપ થવાની સંભાવના અનેકગણી વધી શકે છે. જો તમારું રિડીંગ યોગ્ય છે, તો એકવાર ઉપયોગ કર્યા પછી તેને બદલવું જોઈએ.