Not Set/ ધુમ્રપાન કરનારને કોરોનાનું સંક્રમણ ઓછુ, જાણો શું છે આ દાવાની સચ્ચાઈ?

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર અત્યંત જોખમી સાબિત થઈ છે. રોજ લાખો લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને હજારો લોકો મોતને ભેટી રહ્યા છે.

Top Stories Health & Fitness Lifestyle
petrol 18 ધુમ્રપાન કરનારને કોરોનાનું સંક્રમણ ઓછુ, જાણો શું છે આ દાવાની સચ્ચાઈ?

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર અત્યંત જોખમી સાબિત થઈ છે. રોજ લાખો લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને હજારો લોકો મોતને ભેટી રહ્યા છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર વાયરલ થતા અહેવાલો દાવો કરી રહ્યા છે કે જે લોકો ધૂમ્રપાન કરે છે તેમને કોરોના સંક્રમણ થવાની સંભાવના ઓછી છે. કેટલાક અહેવાલોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને સીએસઆઇઆર સર્વે ટાંકવામાં આવ્યા છે. તે જણાવે છે કે ધૂમ્રપાન કરનારા અને શાકાહારીઓમાં કોરોના વાયરસનું જોખમ ઓછું છે.

petrol 19 ધુમ્રપાન કરનારને કોરોનાનું સંક્રમણ ઓછુ, જાણો શું છે આ દાવાની સચ્ચાઈ?

કોરોના વેક્સિન / શું પ્રેગ્નેન્ટ મહિલા કોરોના રસી લઈ શકે? જાણો શું કહે છે સ્ટડી

મીડિયા અહેવાલોમાં સીએસઆઇઆરનાં અભ્યાસને ટાંકીને એવો દાવો કરવામાં આવ્યો છે કે ધૂમ્રપાન કરનારાઓ અને શાકાહારીઓ સેરો પોઝિટિવિટીનું સ્તર ઓછું ધરાવે છે. આ ઉપરાંત, O બ્લડ ગ્રુપનાં લોકોમાં કોરોના વાયરસની સંભાવના ઓછી હોય છે. અહેવાલો અનુસાર, નિષ્ણાંતોને 10,427 લોકોએ કરેલા અભ્યાસનાં આધારે આ જાણ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સર્વેનાં પરિણામો દર્શાવે છે કે કોવિડ-19 શ્વસન રોગ હોવા છતાં, ધૂમ્રપાન કરનારાઓ તેનાથી કંઈક અંશે સલામત ગણી શકાય. આની પાછળનું કારણ એ છે કે ધૂમ્રપાન કરવાથી શરીરમાં લાળનું ઉત્પાદન વધે છે, જે આવા લોકોને કોરોનાથી બચાવી શકે છે. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે જે લોકો ધૂમ્રપાન કરે છે તેમને ગંભીર સંક્રમણ લાગવાની સંભાવના 1.5 ગણી વધારે હોય છે.

petrol 20 ધુમ્રપાન કરનારને કોરોનાનું સંક્રમણ ઓછુ, જાણો શું છે આ દાવાની સચ્ચાઈ?

કોરોના રસીકરણ / કોરોનના દર્દીઓને શા માટે નથી લગાવવામાં આવતી વેક્સિન, આ છે મુખ્ય કારણ

સીએસઆઈઆરે પણ આ મુદ્દે સ્પષ્ટતા આપી છે. જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે સીએસઆઇઆર દ્વારા આવો કોઈ દાવો કરવામાં આવ્યો નથી. આ સંદર્ભે, સીએસઆઇઆરએ પણ તેની વેબસાઇટ પર એક સૂચના મૂકીને આ વિશે માહિતી આપી છે. સૂચનામાં જણાવાયું છે કે એવા અહેવાલો છે કે ધૂમ્રપાન કરનારાઓ અને શાકાહારીઓમાં કોરોના સંક્રમણનું જોખમ ઓછું છે, જ્યારે અમારી વતી આવી કોઈ પ્રેસ નોટ જારી કરવામાં આવી નથી. સીએસઆઈઆઈએ નોટિફિકેશનમાં જણાવ્યું, અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે, “જે લોકો ફાઇબરયુક્ત શાકાહારી આહાર લે છે તે કોવિડ-19 સામે વધુ પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે. આ આંતરડામાં જોવા મળતા માઇક્રોબાયોટાને કારણે થાય છે. પરંતુ ધૂમ્રપાન કરનારાઓ કોરોના સંક્રમણનાં ઓછા જોખમ હોવાના દાવા સાચા નથી.

s 3 0 00 00 00 1 ધુમ્રપાન કરનારને કોરોનાનું સંક્રમણ ઓછુ, જાણો શું છે આ દાવાની સચ્ચાઈ?