દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં ફરી એક વખત રાહત જોવા મળી છે. છેલ્લા ચાર દિવસથી નવા કેસ ચાર લાખથી વધુ નોંધવામાં આવી રહ્યા હતા. તેમાં ફરી એક વખત બ્રેક આવી છે.દેશમાં નવા કેસ અને સાજા થનાર દર્દીઓની સંખ્યાનો આંકડો લગભગ હવે સમાન જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3.5 લાખ દર્દીઓ કોરોના મુક્ત થયા છે. જ્યારે 3.65 લાખથી વધુ નવા કેસ નોંધવામાં આવ્યા છે.
કરૂણાંતિકા / રાજકોટમાં મધર્સ ડેના દિવસે વિપ્ર પરિવારમાં સર્જાઇ કરૂણાંતિકા, પુત્રીએ પણ અંતિમ શ્વાસ ભરતા માતા બની નોંધારી
કોરોનાના કારણે 3747 લોકોના મોત નિપજ્યા છે જ્યારેએક્ટિવ કેસની સંખ્યા 37.5 લાખ નોંધવામાં આવી છે.દેશના 12 રાજ્યોમાં રિકવરીની સંખ્યા વધુ,દેશમાં એક્ટિવ કેસ હવે 37.5 લાખ,કુલ મૃત્યુઆંક હવે અઢી લાખ નજીક પહોંચવા આવ્યો છે.
જોખમ / કોરોના વાયરસ એ ચીનનું જૈવિક હથિયાર છે…?
વિવિધ રાજ્યોના નવા કેસની સંખ્યા પર નજર કરીએ તોમહારાષ્ટ્રમાં સૌથી વધુ 48,401 નવા કેસ, કર્ણાટકમાં 47,930 કેસ,કેરળમાં 35,803 કેસ , ઉત્તર પ્રદેશમાં 23,175 કેસ, તામિલનાડુમાં 28,897 કેસ, આંધ્રપ્રદેશમાં 22,164 કેસ, દિલ્હીમાં 13,336 કેસ, રાજસ્થાનમાં 17,921 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,941 કેસ, ગુજરાતમાં 11,084 કેસ, બિહારમાં 11,259 કેસ, હરિયાણામાં 13,548 કેસ, મધ્યપ્રદેશમાં 11,051 કેસ, ઓરિસ્સામાં 10,635 કેસ નોંધાયા છે.
ખાડે ગયેલું આરોગ્ય તંત્ર / દર્દીઓ એક-એક શ્વાસ માટે તરફડીયા ખાય છે અને ઓક્સિજન સિલિન્ડરો કચરાના ઢગલામાં મળી રહ્યા છે