Not Set/ બોલિવુડ અભિનેતા ફરહાન અખ્તરે ભાજપના નેતાની કાઢી ઝાટકણી

ભાજપના નેતા જી વી એલ નરસિંહરાવએ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે કે મોટા ભાગના ફિલ્મ સ્ટાર્સના આઇક્યૂ અને સામાન્ય જ્ઞાાન કંગાળ હોય છે. જેના પર બોલિવુડ અભિનેતા ફરહાન અખ્તરે આ વિધાનનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને ‘હાઉ ડેર યુ સર ?’ કહયુ હતુ. તમે બધાંને એક લાકડીએ હાંકી શકો નહીં સાહેબ એમ ફરહાને સોશ્યલ મિડિયા પર રાવની ઝાટકણી […]

Entertainment
farhanakhtar story 647 111016103124 બોલિવુડ અભિનેતા ફરહાન અખ્તરે ભાજપના નેતાની કાઢી ઝાટકણી

ભાજપના નેતા જી વી એલ નરસિંહરાવએ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે કે મોટા ભાગના ફિલ્મ સ્ટાર્સના આઇક્યૂ અને સામાન્ય જ્ઞાાન કંગાળ હોય છે. જેના પર બોલિવુડ અભિનેતા ફરહાન અખ્તરે આ વિધાનનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને ‘હાઉ ડેર યુ સર ?’ કહયુ હતુ. તમે બધાંને એક લાકડીએ હાંકી શકો નહીં સાહેબ એમ ફરહાને સોશ્યલ મિડિયા પર રાવની ઝાટકણી કાઢી હતી. તાજેતરમાં રજૂ થયેલી એક તમિળ ફિલ્મ માર્સેલમાં હાલના વડા પ્રધાનના જીએસટી અને ડિજિટલ ઇન્ડિયા જેવાં પગલાંની ટીકા કરવામાં આવી હતી. તેથી ઉશ્કેરાયેલા નરસિંહ રાવે આ નિવેદન આપ્યુ હતુ જેના જવાબમાં ફરહાને સોશ્યલ મિડિયા પર રાવની ઝાટકણી કાઢી હતી. આ તમિળ ફિલ્મમાં અભિનેતા વિજયે એક ગ્રામ પંચાયતના વડા, ડૉક્ટર અને જાદુગર એમ ત્રણ રોલ કર્યા છે. જો કે દિવાળી પર રજૂ થયેલી આ ફિલ્મ હિટ નીવડી છે અને એને ચોતરફ આવકાર મળ્યો છે. જો કે કેટલાક રાજકીય પક્ષોએ એનો વિરોધ પણ કર્યો હતો.