પાકિસ્તાને ફરી જમ્મુ કાશ્મીર પાસે યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે, જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં આવેલી કૃષ્ણા ઘાટીમાં પણ પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ.જમ્મુ કાશ્મીર પાસે એલઓસી પર ફરી પાકિસ્તાને સીઝ ફાયર ઉલ્લંઘન કરીને ભારતને ભડકાવવાનો પ્રયાસ કર્યો છે.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ અંકુશ રેખા પાસે કોઇ પણ કારણ વગર ગુરુવાર રાતે ૧૦.૩૫ વાગ્યાથી ગોળીબાર શરૂ કરી દીધી હતી.ભારતીય સેનાએ પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો હતો.ગુરુવારે પૂંછ સેક્ટરમાં ફાયરિંગ થયું. જેમાં 15 મરાઠા રેજીમેન્ટના એક જવાન શહીદ થયા હતા. જ્યારે અન્ય એક સ્થાનિક પણ મોતને ભેટ્યો હતો.