ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના બે તબક્કામાં મતદાન થયું છે. રવિવારે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. આ દરમિયાન, યુપી સરકારે નિર્ણય લીધો છે કે , રાત્રિ કર્ફ્યુ આજ રાતથી હટાવી લેવામાં આવશે. આવો નિર્ણય કોરોનાના ઘટતા કેસોને લઈને લેવામાં આવ્યો છે.
આ પણ વાંતો:દાઉદ ઈબ્રાહિમ સ્પેશિયલ યુનિટ બનાવીને ભારત પર હુમલો કરશે, ઘણા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ હિટ લિસ્ટમાં
ઉત્તર પ્રદેશ સરકારના અધિક મુખ્ય સચિવ અવનીશ કુમાર અવસ્થીએ જારી કરેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાના વધતા જતા કેસોને કારણે રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થતા તેને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ અંગે પત્ર દ્વારા સૂચનાઓ પણ આપી છે.
આપને જણાવી દઈએ કે, કોરોનાના ઘટતા કેસોને કારણે ઘણા રાજ્યોએ પ્રતિબંધો હટાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત સરકારે ગુરુવારે રાજ્યના છ શહેરોમાં 19 ફેબ્રુઆરીથી નાઇટ કર્ફ્યુ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો, જ્યારે અમદાવાદ અને વડોદરામાં તે એક અઠવાડિયા સુધી ચાલુ રહેશે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં 19 ફેબ્રુઆરીથી નાઈટ કર્ફ્યુ લાગુ નહીં થાય, જ્યારે અમદાવાદ અને વડોદરામાં 25 ફેબ્રુઆરી સુધી રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ ચાલુ રહેશે. . આ અંગેનો નિર્ણય ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલી કોર કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
કર્ણાટક સરકારે વીકએન્ડ કર્ફ્યુ હટાવવાનો નિર્ણય લીધો છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ આ સંદર્ભે નિષ્ણાતો, મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જો કે, નાઇટ કર્ફ્યુ દરરોજ રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. તે જ સમયે, રેસ્ટોરાં, સિનેમા હોલ, પબ, ક્લબ, હોટલ, બાર અને અન્ય સ્થળોએ 50 ટકા ક્ષમતા સહિત અન્ય તમામ કોવિડ પ્રતિબંધો ચાલુ રહેશે. બીજી તરફ, આસામે મંગળવારે કોવિડ સંબંધિત તમામ પ્રતિબંધો હટાવી લીધા હતા.
આ પણ વાંતો:રાજ્યમાં માતૃભાષા ગુજરાતીને અપાશે પ્રાધાન્ય, સરકારે કર્યો મોટો નિર્ણય
આ પણ વાંતો:મધુબની રેલ્વે સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાં લાગી આગ, સામે આવ્યો વીડિયો