નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટેસ્ટિંગ કાઉન્સિલ એટલે કે NCERTના પુસ્તકોમાં હવે INDIAને બદલે ભારત લખવામાં આવશે. NCERT પેનલે તમામ NCERT પાઠ્યપુસ્તકોમાં INDIAનું નામ બદલવાના પ્રસ્તાવને સર્વસંમતિથી સ્વીકારી લીધો છે. આ હંગામા બાદ હવે વિદ્યાર્થીઓના પુસ્તકોમાં INDIAની જગ્યાએ ભારત શબ્દ ભણાવવામાં આવશે.
પેનલના સભ્યોમાંથી એક સીઆઈ આઈઝેકે જણાવ્યું હતું કે NCERT પુસ્તકોના આગામી સેટમાં INDIAનું નામ બદલીને ભારત રાખવામાં આવશે. આ દરખાસ્ત થોડા મહિના પહેલા કરવામાં આવી હતી અને હવે તેને સ્વીકારવામાં આવી છે. સમિતિએ પાઠ્યપુસ્તકોમાં “હિન્દુ વિજયો” ને પ્રકાશિત કરવાની પણ ભલામણ કરી છે. તેણે પાઠ્યપુસ્તકોમાં ‘પ્રાચીન ઈતિહાસ’ની જગ્યાએ ‘શાસ્ત્રીય ઇતિહાસ’નો સમાવેશ કરવાની પણ ભલામણ કરી છે.
આપને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે કેન્દ્રએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા “ભારતના રાષ્ટ્રપતિ” ના નામે આયોજિત G20 ડિનર માટે આમંત્રણ મોકલ્યું, જેનાથી રાજકીય વિવાદ શરૂ થયો. આ પછી સપ્ટેમ્બરમાં પીએમ મોદીની ‘ભારત’ નેમપ્લેટ ટેબલ પર દેખાઈ હતી. દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમમાં G20 લીડર્સ સમિટને સંબોધિત કરતી વખતે PM મોદીના ટેબલ પર ભારત લખેલું જોવા મળ્યું હતું.
આ પણ વાંચો:પૂર્વ CM હરીશ રાવતની કારને નડ્યો અકસ્માત, જાણો કેવી છે તેમની હાલત?
આ પણ વાંચો:યુપી સરકારે રાજ્યના મદરેસાઓને મોકલી નોટિસ, અમલ ના કરવા પર કરાશે દંડ
આ પણ વાંચો:ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે
આ પણ વાંચો:રાજસ્થાનમાં 15 દિવસમાં 244 કરોડની રોકડ જપ્ત, વિધાનસભા ચૂંટણી પહેલા મોટી કાર્યવાહી