ચોટીલા/ હવે રસી લીધી હશે તો જ તમે કરી શકશો મા ચામુંડાના દર્શન..

ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ પરિવારના મહંત અમૃતગિરિ બાપુએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે કોરોના વાયરસને અટકાવવા નિર્ણય લેવામાં આવ્યો છે.

Gujarat Others
Untitled 216 હવે રસી લીધી હશે તો જ તમે કરી શકશો મા ચામુંડાના દર્શન..

રાજય માં  છેલ્લા  દોઢેક વર્ષથી હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસ હજુ પણ  જવાનું નામ નથી લઇ  રહ્યો. જો કે હાલ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં વધતા કેસની ચિંતા ટળી છે પરંતુ તેમ છતાં હજુ ત્રીજી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે બાગ-બગીચા, મંદિર સહિતના જાહેર સ્થળો પર ભીડ એકત્રિત થતા કોરોના સંક્રમણનો ખતરો વધુ મંડરાઈ રહ્યો છે. જાહેર સ્થળો પર વધુ લોકોને એકત્રિત ન થવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. તો સાથે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનું કડકપણે પાલન તો ઠીક પણ હવે રસી લેવી પણ ફરજિયાત બનાવાઈ રહી છે. ત્યારે હવે રસી લેનારા ભક્તો જ ચામુંડા માતાજીના દર્શન કરી શકશે..ચામુંડામંદિરના  ટ્રસ્ટ દ્વારા આ  મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો  છે .

આ પણ વાંચો :કાબુલ ડ્રોન હુમલામાં 10 નિર્દોષ લોકો માર્યા ગયા હતા, અમેરિકાએ માંગી માફી

ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે લોકોને વેકસીન સર્ટીફિકેટ હશે તેને જ પ્રવેશ મળશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિત સરકારી ગાઈડલાઈનું પાલન પણ જરૂરી બનશે. ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો : તાલિબાનના સંકટ સમયે PM મોદીએ એવું શું કહ્યું જેનાથી અફઘાની ખુશ થઇ જશે

ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ પરિવારના મહંત અમૃતગિરિ બાપુએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે કોરોના વાયરસને અટકાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. વધતી જતી લોકોની ભીડને કાબુમાં લેવા માટે નિર્ણય લેવાયો છે. હવેથી લોકોએ વેકસીન લીધી હોય અને સર્ટીફિકેટ ધરાવતા લોકો જ માતાજીના ચરણે શીશ ઝુકાવી શકશે.

આ પણ વાંચો :જાણો કોણ છે આ સ્કાય અને મૂસ જે જીવે છે વૈભવી જીવન