શુક્રવારે રાયપુરમાં આયોજિત ત્રણ દિવસીય રાષ્ટ્રીય આદિજાતિ નૃત્ય મહોત્સવના ઉદઘાટન સમારોહમાં ભાગ લેવા આવેલા રાહુલ ગાંધીએ ભાજપ પર હુમલો કરતા એનઆરસી અને એનપીઆરની સરખામણી ડિમોનેટાઇઝેશન સાથે કરી હતી અને કહ્યું હતું કે, આ બંને કાયદા દેશની જનતા પર ડિમોનેટાઇઝેશનની જેમ જ લાદવામાં આવશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓને કારણે વિશ્વમાં દેશની છબી ખરાબ થઈ છે.
રાહુલ ગાંધીએ નોટબંધી અને વર્તમાન પરિસ્થિતિનો અજબ સંયોગ ઉભો કરતા કેન્દ્રની મોદી સરકારને આર્થિક મામલે ઘેરતા વધુંમાં કહ્યું કે, ‘એનપીઆર અને એનઆરસી ગરીબો પર હુમલો છે. ગરીબો કેન્દ્ર સરકારને પુછે છે કે, અમે રોજગારી કેવી રીતે મેળવીશું, ખિસ્સામાંથી પૈસા કાઢ્યા, અનેક લોકો માર્યા ગયા પણ અમને શું મળ્યું?
રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર દેશના ભાગલા પાડવામાં વ્યસ્ત છે. એનપીઆર કે એનઆરસી, તે દેશના ગરીબ લોકો પર વાર છે. ડિમોનેટાઇઝેશન એ દેશના ગરીબ લોકો પરનો કર હતો. નોટબંધીમાં લોકોને પૈસા ઉપાડવા પૈસા ચૂકવવા પડતા હતા, આ જ સ્થિતિ છે. બિચારો અધિકારી પાસે જશે, તેના કાગળો બતાવશે, નામમાં કંઇક ખોટું થયું હોય તો પૈસા આપવા પડશે(ભ્રષ્ટાચાર પર પ્રહાર). ફરી પાછા ગરીબોના ખિસ્સાઓમાંથી કરોડો રૂપિયા ઉપાડ્યા પછી તે 15 લોકોના ખિસ્સામાં જશે.
દેશની કથળતી આર્થિક સ્થિતિ ઉપર સરકાર પર પ્રહાર કરતા રાહુલે કહ્યું, ‘દેશની અર્થવ્યવસ્થા કોઈથી છુપાયેલી નથી. દેશમાં 45 વર્ષમાં છત્તીસગઢમાં આના કરતા સૌથી વધુ બેરોજગારી નથી જોવામાં આવી. માનવામાં આવતું હતું કે, ભારત અને ચીન આર્થિક વિકાસ દરમાં વિશ્વમાં ઝડપથી આગળ વધી રહ્યા છે. આજે આખા વિશ્વમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં હિંસા થઈ રહી છે, સ્ત્રીઓને રસ્તા પર ચાલવાની છૂટ નથી, 45 વર્ષમાં બેકારી સૌથી વધુ છે. ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશને તે કહેવા માટે સમર્થ નથી કે તે કેવી રીતે બન્યું, શા માટે અર્થવ્યવસ્થાનાં ચીંથડા નીકળી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.